મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

“અકાળે પાંગરેલા પ્રેમનો કરૂણ અંજામ” : વાંકાનેર તાલુકામાં પ્રેમી પંખિડાએ ઝેરી દવા પીધી, પરિણીતાનું મોત


SHARE













“અકાળે પાંગરેલા પ્રેમનો કરૂણ અંજામ” : વાંકાનેર તાલુકામાં પ્રેમી પંખિડાએ ઝેરી દવા પીધી, પરિણીતાનું મોત

વાંકાનેર તાલુકાના જાલીડા ગામના સીમ વિસ્તારની અંદર પરિણીત મહિલા અને અપરિણીત યુવાને સજોડે ઝેરી દવા પીધી હતી દરમિયાન મહિલાનું મોત નિપજયું છે અને યુવાન સારવાર હેઠળ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે અને હાલમાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ જાલીડા ગામના સીમ વિસ્તારની અંદર પરિણીત મહિલા અને અપરણિત યુવાને ઝેરી દવા પી લીધી હોવા અંગેની ૧૦૮ની ટીમને જાણ કરી હતી જેથી કરીને એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યારે ત્યાં મહિલા અને યુવાને ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા જેથી કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના કાનપુર ગામના રહેવાથી ભાવુબેન રાકેશભાઈ કોળી (ઉંમર ૨૭)ને તે જ ગામમાં રહેતા મહેશ હીરાભાઈ કોળી સાથે પ્રેમસબંધ હતો જેથી કરીને તે બન્નેએ એક સાથે જાલીડા ગામની સીમમાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને ભાવુબેનનું મૃત્યુ નિપજયું છે જેનો લગ્નગાળો આઠ વરસનો છે અને તેને સંતાનમાં ત્રણ બાળકો હોવાનું હાલમાં આ બનાવની તપાસ કરતા ધર્મેન્દ્રસિંહ જાડેજા પાસેથી જાણવા મળે છે અને મહેશ હીરાભાઈ કોળી અપરણિત છે જે યુવાન હાલમાં સારવાર હેઠળ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News