મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

“અકાળે પાંગરેલા પ્રેમનો કરૂણ અંજામ” : વાંકાનેર તાલુકામાં પ્રેમી પંખિડાએ ઝેરી દવા પીધી, પરિણીતાનું મોત


SHARE











“અકાળે પાંગરેલા પ્રેમનો કરૂણ અંજામ” : વાંકાનેર તાલુકામાં પ્રેમી પંખિડાએ ઝેરી દવા પીધી, પરિણીતાનું મોત

વાંકાનેર તાલુકાના જાલીડા ગામના સીમ વિસ્તારની અંદર પરિણીત મહિલા અને અપરિણીત યુવાને સજોડે ઝેરી દવા પીધી હતી દરમિયાન મહિલાનું મોત નિપજયું છે અને યુવાન સારવાર હેઠળ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે અને હાલમાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ જાલીડા ગામના સીમ વિસ્તારની અંદર પરિણીત મહિલા અને અપરણિત યુવાને ઝેરી દવા પી લીધી હોવા અંગેની ૧૦૮ની ટીમને જાણ કરી હતી જેથી કરીને એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યારે ત્યાં મહિલા અને યુવાને ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા જેથી કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના કાનપુર ગામના રહેવાથી ભાવુબેન રાકેશભાઈ કોળી (ઉંમર ૨૭)ને તે જ ગામમાં રહેતા મહેશ હીરાભાઈ કોળી સાથે પ્રેમસબંધ હતો જેથી કરીને તે બન્નેએ એક સાથે જાલીડા ગામની સીમમાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને ભાવુબેનનું મૃત્યુ નિપજયું છે જેનો લગ્નગાળો આઠ વરસનો છે અને તેને સંતાનમાં ત્રણ બાળકો હોવાનું હાલમાં આ બનાવની તપાસ કરતા ધર્મેન્દ્રસિંહ જાડેજા પાસેથી જાણવા મળે છે અને મહેશ હીરાભાઈ કોળી અપરણિત છે જે યુવાન હાલમાં સારવાર હેઠળ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News