મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પાટીદાર સેવા સમાજની અદ્યતન વાડી નિર્માણનાં દાતાઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE













વાંકાનેરમાં પાટીદાર સેવા સમાજની અદ્યતન વાડી નિર્માણનાં દાતાઓનો સન્માન સમારોહ યોજાયો

સ્વાતંત્ર્ય પર્વની સંધ્યાએ વાંકાનેર પાટીદાર સેવા સમાજની અદ્યતન વાડીનાં નિર્માણમાં આર્થીક અનુદાન આપનાર દાતાઓનો સન્માન સમારોહ કોરોના ગાઈડ લાઈનને ધ્યાનમાં રાખીને યોજવામાં આવ્યો હતો વાંકાનેરનાં મિલપ્લોટ વિસ્તારનાં મુખ્ય માર્ગ પર ૨૦૦૮ માં ૨૫૦૦ વાર જેટલી વિશાળ જગ્યામાં પાટીદાર સેવા સમાજની વાતાનુકૂલિત અદ્યતન વાડીનું લાખોની માતબર રકમનાં ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતુંસમયાંતરે આ વાડીમાં યોગદાન આપનાર દાતાઓનો સન્માન કાર્યક્રમ સ્વાતંત્ર્ય દિનની સંધ્યાએ જ્ઞાતિની વાડીમાં કોરોના ગાઈડ લાઈન ધ્યાનમાં રાખીને રાખવામા આવ્યો હતો જેમાં વાંકાનેર પાટીદાર સેવા સમાજનાં પ્રમુખ  તથા વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ અગ્રણી ઉદ્યોગપતિ પ્રગ્નેશભાઈ પટેલ(જસદણ સિરામિક ગ્રૂપ), પ્રમુખ સ્થાને ખાસ ઉપસ્થિત રહેલ સીદસર ઉમિયા મંદિરનાં પ્રમુખ અગ્રણી જેરામભાઈ વાંસજાળીયાવેલજીભાઈ પટેલ(બોસ સિરામિક-મોરબી)પોપટભાઈ કગથરાટી. ડી. પટેલરામજીભાઈ પનારા, બેચરભાઈ પટેલઘનશ્યામભાઈ ઢોલરીયાપંચાણભાઈ ભૂતજયંતિભાઈ પડસુમબીયા, જયંતીભાઈ રાનીપા અને કારોબારી સહિત વાંકાનેર મોરબીનાં પાટીદાર ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતાં અને આગેવાનોના હસ્તે દાતાઓનું મોમેન્ટ અર્પણ કરી અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું,






Latest News