મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પાટીદાર સેવા સમાજની અદ્યતન વાડી નિર્માણનાં દાતાઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE













વાંકાનેરમાં પાટીદાર સેવા સમાજની અદ્યતન વાડી નિર્માણનાં દાતાઓનો સન્માન સમારોહ યોજાયો

સ્વાતંત્ર્ય પર્વની સંધ્યાએ વાંકાનેર પાટીદાર સેવા સમાજની અદ્યતન વાડીનાં નિર્માણમાં આર્થીક અનુદાન આપનાર દાતાઓનો સન્માન સમારોહ કોરોના ગાઈડ લાઈનને ધ્યાનમાં રાખીને યોજવામાં આવ્યો હતો વાંકાનેરનાં મિલપ્લોટ વિસ્તારનાં મુખ્ય માર્ગ પર ૨૦૦૮ માં ૨૫૦૦ વાર જેટલી વિશાળ જગ્યામાં પાટીદાર સેવા સમાજની વાતાનુકૂલિત અદ્યતન વાડીનું લાખોની માતબર રકમનાં ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતુંસમયાંતરે આ વાડીમાં યોગદાન આપનાર દાતાઓનો સન્માન કાર્યક્રમ સ્વાતંત્ર્ય દિનની સંધ્યાએ જ્ઞાતિની વાડીમાં કોરોના ગાઈડ લાઈન ધ્યાનમાં રાખીને રાખવામા આવ્યો હતો જેમાં વાંકાનેર પાટીદાર સેવા સમાજનાં પ્રમુખ  તથા વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ અગ્રણી ઉદ્યોગપતિ પ્રગ્નેશભાઈ પટેલ(જસદણ સિરામિક ગ્રૂપ), પ્રમુખ સ્થાને ખાસ ઉપસ્થિત રહેલ સીદસર ઉમિયા મંદિરનાં પ્રમુખ અગ્રણી જેરામભાઈ વાંસજાળીયાવેલજીભાઈ પટેલ(બોસ સિરામિક-મોરબી)પોપટભાઈ કગથરાટી. ડી. પટેલરામજીભાઈ પનારા, બેચરભાઈ પટેલઘનશ્યામભાઈ ઢોલરીયાપંચાણભાઈ ભૂતજયંતિભાઈ પડસુમબીયા, જયંતીભાઈ રાનીપા અને કારોબારી સહિત વાંકાનેર મોરબીનાં પાટીદાર ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતાં અને આગેવાનોના હસ્તે દાતાઓનું મોમેન્ટ અર્પણ કરી અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું,








Latest News