મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૧૫ ઓગસ્ટ ના રોજ ૯૨ સ્થાનોએ કરવામાં આવ્યું ધ્વજવંદન


SHARE













મોરબી જિલ્લામાં ૧૫ ઓગસ્ટ ના રોજ ૯૨ સ્થાનોએ કરવામાં આવ્યું ધ્વજવંદન

દેશની આઝાદીને આ વર્ષે ૭૪ વર્ષ પૂર્ણ થઇ ૭૫ માં વર્ષમાં પ્રવેશ કરશે. ત્યારે આ ૭૫ વર્ષના સફરમાં દેશ કેટ કેટલી ઊંચાઈઓ સુધી પોહ્ચ્યો છે. ભારત વિશ્વફલક પર જયારે આટલા ટૂંકા સમયગાળામાં પોતાની ઓળખ આપી શકતું હોઈ તો તેનો કેટલોક શ્રેય આપણે સૌ નાગરિકોને પણ જાય છે. આ સફરમાં દેશ એ સૌથી સસ્તા અંતરિક્ષ અભિયાનમાં સફળતા મેળવવી કે પછી કોરોના જેવી કપરી સ્તિથીમા પણ વસુધૈવકુંટુંમ્બક્મ” ના આપણા મંત્રને જાળવી પાડોશી દેશો ની મદદ કરવી હોઈ ડગલે ને પગલે દેશના નાગરિકોએ આ દેશની ભાવનાઓને જાળવી રાખી છે.

દેશ આઝાદ થયાને ૭૫ વર્ષ થતા હોઈ ત્યારે ગામડે ગામડે યુવાનોવિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોમાં પણ દેશ ભક્તિ ની ભાવના અમર રહે અને એક ઉત્સાહ અને તહેવારનો માહોલ બને તે હેતુ થી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દેશભર માં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું તે પૈકી વિદ્યાર્થી પરિષદ ગુજરાત દ્વારા આશરે ૭,૫૦૦ જેટલા ગામડાઓ માં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યા એ પૈકી મોરબી જીલ્લા ના આશરે ૮૮ જેટલા ગામોમાં અને ૪ શહેરની સેવા વસ્તીઓમા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી પરીષદના કાર્યકર્તાઓ અને સામાન્ય નાગરીકો દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું

મોરબી એબીવીપીના આગેવાને જણાવ્યુ છે કેસ્વરાજ ૭૫ અભિયાન થકી ગામે ગામે જઈ ધ્વજવંદન ના કાર્યક્રમ કરવા પાછળ નો મુખ્ય હેતુ રાષ્ટ્રભક્તિ ની સાથે સાથે ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ બનાવવાનો અને આપણા સ્વતંત્રતા સેનાનીઓ જેના બલિદાન થકી આપણને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે તેવા સેનાનીઓને યાદ કરવાનો છે. આઝાદીના ૭૫ વર્ષ ને લઈને અભાવિપ દ્વારા વિવિધ પ્રકારના દેશભક્તિની ભાવના જગાડતા કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરતા અને તેમના બલિદાનની વાત જન જન સુધી પોહ્ચે તેવી યાત્રાઓપ્રદર્શનીઓનુક્કડ નાટકો વગેરે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવશે.








Latest News