મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

વાંકાનેરનાં નિલકંઠ મહાદેવ ખાતે શ્રાવણ માસ નિમિત્તે " ભસ્મ આરતી " યોજાઈ


SHARE













સોશ્યલ ડિસ્ટન્સ સાથે ભાવિકોએ અલૌકિક ભસ્મ આરતીનો લીધો દર્શનલાભ 

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર : શહેર મધ્યે ચાવડી શેરી ખાતે આવેલ નિલકંઠ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે ગઈ કાલે સોમવારે ભસ્મ આરતી અને દીપ માળાનું આયોજન કરવામાં આવતાં ભાવિકોએ સોશ્યલ ડિસ્ટન્સ સાથે દર્શન લાભ લીધો હતો.

વર્ષો જુના નિલકંઠ મહાદેવ ખાતે શ્રાવણ માસની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે, શ્રાવણ માસનાં દરેક સોમવાર દરમ્યાન વિવિધ શણગાર સહિતનાં આયોજન કરવામાં આવે છે, ગઈકાલે સોમવારે દીપમાળા અને ભસ્મ આરતી યોજવામાં આવતાં આ અલૌકિક દર્શનનો ભાવિકો એ સોશ્યલ ડિસ્ટન્સ સાથે લાભ લીધો હતો,  આયોજન સફળ બનાવવા તથા નિલકંઠ મહાદેવ મંદિરનાં સતત વિકાસ માટે આ વિસ્તારનાં લતાવાસીઓ અથાગ જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News