મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં માનસિક અસ્થિર પત્નીની સેવાચાકરીથી કંટાળીને ગળાફાંસો ખાઇ લેતા આધેડનું મોત


SHARE







મોરબીમાં માનસિક અસ્થિર પત્નીની સેવાચાકરીથી કંટાળીને ગળાફાંસો ખાઇ લેતા આધેડનું મોત

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં આધેડે ફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજયું હતું.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના મકરાણી વિસ્તારમાં રહેતા બસીરભાઇ દિનમામદભાઇ બ્લોચ નામના ૬૫ વર્ષીય વૃદ્ધે તેમના ઘરે ગળાફાંસો ખાઇ લેતાં તેમનું મોત નીપજયું હતું બનાવને પગલે તેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમમાં ખસેડાતા હોસ્પિટલ સત્તાવાળાઓએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી તપાસ અધિકારી વી.પી.છાસીયાએ તપાસ કરતા તેમની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ હતું કે મૃતક બસીરભાઈના પત્ની માનસિક અસ્વસ્થ હોય અને અવસ્થાને પગલે તેમના પત્નીની સેવાચાકરીથી કંટાળી ગયા હોય તેના લીધે ઉપરોક્ત અંતિમ પગલું ભરી લીધું હતું જેથી તેમનું મોત નિપજ્યું છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના માટેલ રોડ ઉપર પાવર હાઉસ નજીક ભોલેબાબા ગેરેજ નામે ધંધો કરતાં અને ત્યાં જ ઢુવા નજીક રહેતા સરોજકુમાર કોલ નામનો ચાલીસ વર્ષનો યુવાન બાઇક લઇને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થતા ઈજાગ્રસ્ત સરોજકુમારને સારવારમાં મોરબી ખસેડાયો હતો.સુરેન્દ્રનગરના મુળી તાલુકાના સરા વિસ્તારમાં શીતળા માઁ મંદિર નજીક રહેતા દિનેશભાઇ ચકુભાઈ મેવાડા નામનો ૩૪ વર્ષનો યુવાન ઘરેથી રિક્ષા લઈને હળવદ તરફ જતો હતો ત્યાં રસ્તામાં તેની રીક્ષા પલ્ટી મારી જતા ડાબા પગના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં દિનેશ મેવાડાને સારવારમાં મોરબી લવાયો હતો.

મહિલા સારવારમાં

મોરબીના કંડલા બાયપાસ પાસે શીયાળની વાડી વિસ્તારમાં રહેતા જશોદાબેન સુરેશભાઈ નકુમ નામની ૩૩ વર્ષીય મહિલા બાઈક ના પાછળના ભાગે બેસીને જડેશ્વર રોડ ઉપરથી જતા હતા ત્યાં સજજનપર(ટંકારા) ગામે જીન નજીક બાઇક સ્લીપ મારી જવાના બનેલા બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા જશોદાબેન નકુમને સારવારમાં અહિંની ક્રિષ્ના હોસ્પિટલે લવાયા હતા.જ્યારે વાંકાનેરના બંધુનગર પાસે આવેલ પેગ્મેન સિરામિક નામના યુનીટ પાસે રહીને મજૂરી કામ કરતો સુભરાષીભાઈ અરસનભાઈ ફકીર નામનો ૩૫ વર્ષીય યુવાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર કોઈ કારણોસર માથામાં નાંખવાની મહેંદી પી જતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News