મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાં પુન: ઉગી નિકળેલ લીલી વેલને દુર કરવા સામાજીક કાર્યકરોની માંગ


SHARE













મોરબીની મચ્છુ નદીમાં પુન: ઉગી નિકળેલ લીલી વેલને દુર કરવા સામાજીક કાર્યકરોની માંગ

મોરબીની મચ્છુ નદીમાં પુન: ઉગી નિકળેલી લીલી વેલને દુર કરવા સામાજીક કાર્યકરોએ માંગ કરેલ છે.મોરબી નગરપાલીકાના ચીફ ઓફીસર સરૈયા, પાલીકા પ્રમુખ કુસુમબેન પરમાર તેમજ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાને લેખીત રજુઆત કરીને અહિંના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીગ્નેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા, જનક રાજા અને અશોક ખરચરીયાએ પ્રજાવતી પોતાની રજુઆતમાં જણાવેલ છે કે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ નદી કે જે નદીમાં અત્યારે લીલી વેલ થઇ ગયેલ છે અને જાણે લીલથી આખી જાજમ પથરાઇ ગઇ હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. જે લીલી ડેમથી લઇને ખાખરાળા વાળી મેલડી માઁ ના મંદિર સુધી આ લીલી વેલ ફેલાયેલી છે 

તો આ લીલને તાત્કાલીક ધોરણે દુર કરવા માટે ઉપરોકત સામાજીક કાર્યકરોએ અરજ કરેલ છે તેમજ નદીમાં જયારે કોઇ આપધાત કરે ત્યારે મૃતકના શબને બહાર કાઢવામાં પણ ભારે મુશ્કેલી ઉભી થાય છે અને લાશ શોધનાર તરવૈયાઓના પુરા શરીરે આ લીલી વેલ વીંટાઇ જાય છે અને વેલના હિસાબે નદીમાં જીવાતો પણ થઇ જાય છે.તેમજ ટુંક સમયમાં જ ગણપતી મહોત્સવ આવશે જેથી ગણેશજીની મુર્તિઓનું વિસર્જન કરવામાં આવતુ હોવાથી એવા દશ્યો પણ સર્જાય છેકે નદીમાં ભગવાનની મૂર્તિ પણ પધરાવી શકાય તેવી સ્થિતિ નથી અને લોકો આવી લીલના કારણે નદી કાંઠે જ એટલે કે અપવિત્ર જગ્યા ઉપર જ મુર્તિ મુકીને જતા રહે છે જે અપમાનજનક ગણી શકાય છે.તેમજ નદીમાં હાલ ગટરના ગંદા પાણી પણ બુગદા-વોંકડામાંથી છોડવામાં આવે છે તેનાથી નદીમાં ગંદકી થાય છે.મોરબી મચ્છુ નદીમાં જો યોગ્ય સમયે લીલનો નીકાલ કરવામાં નહીં આવે તો આ અંગે આવા પવિત્ર તહેવારોમાં મુર્તિ વિસર્જન, નવરાત્રીમાં ગરબા વિસર્જન વિગેરે વિસર્જન કરવામાં મુશ્કેલી ઉભી થાય તેમ છે.લીલના કારણે રોગચાળો પણ ફાટી નીકળવાનો ભય રહે છે જેથી આ વાત ધ્યાને લેવા ચીફ ઓફીસરને અરજ કરાયેલી છે.

આગામી સમયમાં ભાદરવા મહિનામાં પિતૃ તર્પણ કાર્ય આવતા હોય જેથી ત્યાં નદી કિનારે લોકો પિતૃ તર્પણ પણ ગંદકીના હીસાબે કરી શકતા નથી. ચીફ ઓફીસર તથા નગરપાલીકાના પ્રમુખને ધ્યાને આવે એટલે તુરંત જ પ્રજાલક્ષી કામો કરે જ છે પણ પ્રજાલક્ષી અને પ્રજાના હિતમાં હોય તેવી અરજીઓને પ્રાધાન્ય આપવામાં આવે તેવુ કરવુ જોઇએ.વિષયની ગંભીરતા સમજીને નદીમાંથી તાત્કાલીક લીલ વેલ દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ રજુઆત કરનાર સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીગ્નેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા, જનક રાજા અને અશોક ખરચરીયાએ આમ જનતા વતી માંગ કરેલ છે.






Latest News