મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત


SHARE













મોરબીના રવાપર ગામે દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત

મોરબીના રવાપર ગામે બોનીપાર્ક વિસ્તારમાં રહેતી મહિલા રસોઈ બનાવતા સમયે દાઝી ગયા હતા જેથી મોરબી બાદ રાજકોટ લઇ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજયું હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે. 

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર વિસ્તારમાં બોનીપાર્કમાં આવેલ રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા જશુબેન ઉર્ફે જ્યોત્સનાબેન મહેશભાઈ પાડલીયા નામના ૫૭ વર્ષીય મહિલા ગઈકાલે તા.૨૬-૮ મા સવારના દશેક વાગ્યાના અરસામાં રસોઈ બનાવતા સમયે દાઝી ગયા હતા જેથી તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં ગઈકાલે જ બપોરે ચારેક વાગ્યાના અરસામાં તેમનું મોત નિપજ્યું હતું. જશુબેન ઉર્ફે જોત્સનાબેન મહેશભાઈ પાડલીયા (૫૭) નું મોત નિપજતા બનાવ અંગે નોંધ કરીને હાલ એ ડિવિઝન પોલીસ મથકના જે.એ.ઝાલાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના ટંકારા તાલુકાના લજાઇ ગામે લક્ષ્મણભાઈ મૂળજીભાઈની વાડી રહીને મજૂરીનું કામ કરતાં મુકેશભાઈ મંગળભાઈ આદિવાસી નામના ૪૫ વર્ષના યુવાનને ગત મોડીરાત્રીના એકાદ વાગ્યાના અરસામાં ઝેરી સાપ કરડી જતા તેઓને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપીને હાલત નાજુક જણાતાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.






Latest News