મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રેપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

“મટકી ફોડ નહિ, તો વોટ નહિ”: મોરબીમાં વિહિપ અને બજરંગ દળ લગાવ્યા બેનર


SHARE













“મટકી ફોડ નહિ, તો વોટ નહિ”: મોરબીમાં વિહિપ અને બજરંગ દળ લગાવ્યા બેનર

રાજ્ય સરકારે જન્માષ્ટમી શોભાયાત્રામાં ૨૦૦ લોકોની મંજૂરી ઐ છે તો પણ મોરબી જિલ્લાના કલેક્ટર દ્વારા મટકી ફોડની મનાઈ સાથેનું જાહેરનામું બહાર પડ્યું છે ત્યારે મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ  દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે અને શહેરમાં અનેક જગ્યાએ “મટકી ફોડ નહિ તો વોટ નહી” ના સૂત્ર સાથે બેનર લગાવવવા આવેલ છે.

મોરબી જિલ્લા કલેકટર દ્વારા ગઇકાલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં “મટકી ફોડ”ની મનાઈ કરવામાં આવી છે જેથી મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદેદારો અને કાર્યકર્તાઓમાં રોષની લાગણી ફેલાઈ છે અને જાહેર માર્ગો ઉપર બેનર લગાવવામાં આવ્યા છે જેમાં લખ્યું છે કે, “ આશીર્વાદ લેવા વાળાની યાત્રા નીકળે તો પછી આશીર્વાદ આપવા વાળાની કેમ નહિ ?, અને “મટકી ફોડ નહિ તો વોટ નહિ” ના સૂત્રો સાથેના બેનરો લગાવ્યા છે આમ મટકી ફોડ રદ કરવામાં આવતા હિન્દૂ સમાજની લાગણીને સરકાર કયા સુધી ઠેસ પહોંચાડતી રહેશે તેવો સવાલ ઊભો થયો છે.






Latest News