મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રેપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ઉચી માંડલ પાસે નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા દસ વર્ષના બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE













મોરબીના ઉચી માંડલ પાસે નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા દસ વર્ષના બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત

 મોરબી નજીકના ઉચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ન્હાવા માટે પડેલ દસ વર્ષના બાળકનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નિપજયું હતું જેથી તેના પિતા બાળકના મૃતદેહને લઇને સિવિલે આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી . 

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી નજીકના ઉંચી માંડલ ગામ પાસે ઓરાબોરા સિરામિકની અંદર રહેતા અને મજૂરી કામ કરતા મંગીલાલ વ્યાસજીનો દસ વર્ષનો દીકરો રાજપાલ નર્મદાની કેનાલમાં ન્હાવા માટે ગયો હતો ત્યારે નર્મદાની કેનાલમાં વહેતા પાણીની અંદર ડૂબી જવાથી રાજપાલનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને લઈને તેના પિતા મંગીલાલ વ્યાસજી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.






Latest News