મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રેપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની ગાંધી સોસાયટી પાસે મફતીયાપરામાં એઠવાળ નાખવા બાબતે બે પરિવાર બાખડ્યા : સામસામી ફરિયાદ


SHARE













 

મોરબીની ગાંધી સોસાયટી પાસે મફતીયાપરામાં એઠવાળ નાખવા બાબતે બે પરિવાર બાખડ્યા : સામસામી ફરિયાદ


મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નજરબાગ પાસે ગાંધી સોસાયટીના મફતીયાપરામાં રહેતા બે પરિવારો વચ્ચે એઠવાળ નાખવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો.જે સંદર્ભે હાલમાં બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તેને તજવીજ શરૂ કરે છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી શહેરના સમા વિસ્તારમાં નજરબાગ પાસે આવેલ ગાંધી સોસાયટીના મફતીયા પરામાં રહેતા હિતેશભાઈ પ્રેમજીભાઈ બોસીયા (૨૨) એ હાલમાં નટવરભાઇ હમીરભાઈ સોલંકીની સામે ફરિયાદ નોંધાવી છે જેમા તેને જણાવ્યું છે કે તેના ઘરની બહાર જાહેરમાં રોડ ઉપર નટવરભાઈના પરિવારના લોકો રસોઈનો એઠવાળ અને પાણી દોડતા હોવાથી તે બાબતે તે સમજાવવા માટે ગયા હતા ત્યારે આરોપી ઉશ્કેરાઇ ગયા હતા અને બેફામ ગાળો બોલી અને ઝઘડો કર્યો હતો અને ઝપાઝપી કરી હતી ત્યારે નટવરભાઈએ તેના હાથમાં રહેલ ઈંટ હિતેશભાઇને માથામાં ફટકારી હતી જેથી કરીને તેઓને ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં પોલીસે હિતેશભાઈની ફરિયાદ લઈને નટવરભાઇની સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

તો સામાપક્ષેથી નટવરભાઈ હમીરભાઇ સોલંકીએ હાલમાં હિતેશભાઈ પ્રેમજીભાઈની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના ઘરની પાસે હિતેશભાઈના ઘરેથી મુરઘી મટનનો કચરો નાખતા હોવાથી તે બાબતે તેઓ તેને સમજાવવા માટે જતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેને બેફામ ગાળો આપી ઝઘડો કરીને લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને તેઓને ઇજાઓ થતાં નટવરભાઇને સારવાર લઇ ગયા હતા અને હાલમાં તેઓએ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News