મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આજથી ગણેશોત્સવ પ્રારંભ: જાહેર પંડાલો અને ઘેર ઘેર ગણેશ સ્થાપન


SHARE













ગઢની રાંગ ખાતે આવેલ પૌરાણિક નિલકંઠ મહાદેવ ખાતે ગણેશ સ્થાપન કરાયું 

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં આજથી ગણેશોત્સવનો મંગલ પ્રારંભ થયો છે ત્યારે જાહેર પંડાલો ઉપરાંત ઘેર ઘેર પણ શહેરીજનો દ્વારા ભાવપૂર્વક ગણેશ સ્થાપન કરવામાં આવ્યું હતું.

કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી અનેક ધાર્મિક તહેવારો ઉત્સવોની ઉજવણી રદ કરવામાં આવી રહી હતી ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા કોરોના ગાઈડ લાઈન મુજબ ગણેશોત્સવ ઉજવણી કરવાની છૂટ છાટ આપવામાં આવતાં ભાવિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વાંકાનેરમાં ગણેશોત્સવની ઉજવણી કરવા માટે શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ઠેર ઠેર જાહેર પંડાલો અને ઘેર ઘેર પણ ગણેશ સ્થાપના કરવામાં આવી હતી ત્યારે ચાવડી શેરી ખાતે આવેલ પૌરાણિક નિલકંઠ મહાદેવ મંદિર ખાતે દરેક ધાર્મિક તહેવારોની ધર્મમય ઉજવણી કરવામાં આવે છે આજરોજ આ વિસ્તારનાં રહીશ હરૂભાઈ લચ્છુભાઈ કટારિયા (સિંધી) નાં ઘેરથી પ્રથમ ગણેશ પ્રતિમાનું પૂજન વિધિ કરી વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને નિલકંઠ મહાદેવ મંદિર ખાતે ગણેશ સ્થાપના કરવામાં આવી હતી ત્યારે અહીં દરરોજ આરતી સહિતનાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે, આ વિસ્તારનાં લતા વાસીઓમાં ગણેશોત્સવ ઉજવવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.




Latest News