માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક રિક્ષાનું આગળનું ટાયર નીકળી જતાં યુવાનનું મોત


SHARE













વાંકાનેર નજીક રિક્ષાનું આગળનું ટાયર નીકળી જતાં યુવાનનું મોત

વાંકાનેર મોરબી નેશનલ હાઈવે ઉપર જડેશ્વર ચેમ્બરની આગળના ભાગમાં લક્ષ્મી બોડી કામ ગેરેજ ની સામેથી પસાર થતી રિક્ષાનું આગળનું ટાયર કોઈ કારણોસર નીકળી ગયું હતું જેથી કરીને રીક્ષા પલટી મારી ગઇ હતી ત્યારે રિક્ષામાં બેઠેલા એક વ્યક્તિને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું મોત નીપજયું હતું માટે હાલમાં મૃતકના ભાઈએ રિક્ષાચાલકની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના પંચાસર ગામના રહેવાસી અબ્દુલગફાર ઈબ્રાહીમ પઠાણ (૩૬) નામના વ્યક્તિએ હાલમાં ઓટો રીક્ષા નંબર જીજે ૩ એયુ ૪૧૮૪ ના ચાલક બસીરભાઇ ઇબ્રાહીમભાઇ શેરસીયા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યુ છે કે તેના મોટા ગુલામહુસેન ઇબ્રાહીમભાઇ પઠાણ (ઉ ૪૦) બસીરભાઇની રીક્ષામાં બેસીને પંચાસર ગામ તરફ આવી રહ્યા હતા ત્યારે રિક્ષામાંથી નેશનલ હાઈવે ઉપર જડેશ્વર ચેમ્બરની સામેના ભાગમાં લક્ષ્મી બોડી કામ ગેરેજ પાસે રીક્ષાનું આગળનું ટાયર નીકળી ગયું હતું જેથી કરીને રિક્ષા પલટી મારી ગઇ હતી ત્યારે ગુલામહુસેનભાઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું મોત નીપજયું હતું હાલમાં અકસ્માતના બનાવમાં પોલીસે રિક્ષા ચાલકની સામે ફરિયાદ નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વૃધ્ધ ગુમ

વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં કન્યાશાળાની સામેના ભાગમાં રહેતા જીગ્નેશભાઈ વલ્લભભાઈ સંતોકી (ઉંમર ૪૦) ના પિતા વલ્લભભાઈ ગંગારામભાઈ સંતોકી (ઉંમર ૬૦) ગત તા ૧૬/૬ ના રોજ પોતાના ઘરેથી નાસ્તો કરીને દાઢી કરાવવા માટે જાઉં છું એવું કહીને નિકડ્યા હતા જોકે તેઓ આજ દિવસ સુધી પરત નહીં આવતાં હાલમાં જીગ્નેશભાઈએ પોતાના પિતા ગુમ થયા હોવા અંગેની વાંકાનેર સીટી પોલીસ ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News