મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના માળિયા પંથકમાં આવેલ મીઠા ઉદ્યોગને થયેલ નુકશાનનો સર્વે કરાવવા સાંસદની સરકારમાં રજુઆત


SHARE













મોરબી જિલ્લાના માળિયા પંથકમાં આવેલ મીઠા ઉદ્યોગને થયેલ નુકશાનનો સર્વે કરાવવા સાંસદની સરકારમાં રજુઆત

મોરબી જીલ્લામાં ઓગસ્ટના છેલ્લે અઠવાડિયામાં પડેલા ભારે વરસાદના કારણે માળિયા પંથકમાં આવેલ મીઠાના ઉદ્યોગને મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે ત્યારે ઉત્પાદકોને થયેલા નુકસાનને લઈને રાજ્યસભાના સાંસદ દ્વારા મીઠા ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માને મીઠા ઉદ્યોગને થયેલ નુકશાનનો સર્વે કરાવવા લેખિત રજુઆત કરી છે

વાંકાનેરના રાજા અને રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ જે રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યું છે કે, મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં ઓગસ્ટના છેલ્લે અઠવાડિયામાં પડેલા ભારે વરસાદથી મીઠા ઉદ્યોગને મોટું નુકશાન થયેલ છે અને માળીયા તાલુકાના લોકોનો મુખ્ય વ્યવસાય મીઠા ઉદ્યોગનો છે જેથી કરીને મીઠાના મોટા અને નાના એકમોને થયેલ નુકશાન, મીઠાના સ્ટોકને થયેલ નુકશાન, મીઠાનું ધોવાણ, મીઠાના મેઈન બંધપાળાતળાવોકયારાઓરોડ મશીનરીઓઈલેક્ટ્રીક મોટરો તથા વાયરીંગરોડરસ્તાઓમાં ખુબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે. આ નુકસાનીનો સર્વે કરાવી મીઠા ઉદ્યોગોને સહાય આપવામાં આવે તે માટેની ભલામણ કરી છે.






Latest News