મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના માળિયા પંથકમાં આવેલ મીઠા ઉદ્યોગને થયેલ નુકશાનનો સર્વે કરાવવા સાંસદની સરકારમાં રજુઆત


SHARE













મોરબી જિલ્લાના માળિયા પંથકમાં આવેલ મીઠા ઉદ્યોગને થયેલ નુકશાનનો સર્વે કરાવવા સાંસદની સરકારમાં રજુઆત

મોરબી જીલ્લામાં ઓગસ્ટના છેલ્લે અઠવાડિયામાં પડેલા ભારે વરસાદના કારણે માળિયા પંથકમાં આવેલ મીઠાના ઉદ્યોગને મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે ત્યારે ઉત્પાદકોને થયેલા નુકસાનને લઈને રાજ્યસભાના સાંસદ દ્વારા મીઠા ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માને મીઠા ઉદ્યોગને થયેલ નુકશાનનો સર્વે કરાવવા લેખિત રજુઆત કરી છે

વાંકાનેરના રાજા અને રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ જે રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યું છે કે, મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં ઓગસ્ટના છેલ્લે અઠવાડિયામાં પડેલા ભારે વરસાદથી મીઠા ઉદ્યોગને મોટું નુકશાન થયેલ છે અને માળીયા તાલુકાના લોકોનો મુખ્ય વ્યવસાય મીઠા ઉદ્યોગનો છે જેથી કરીને મીઠાના મોટા અને નાના એકમોને થયેલ નુકશાન, મીઠાના સ્ટોકને થયેલ નુકશાન, મીઠાનું ધોવાણ, મીઠાના મેઈન બંધપાળાતળાવોકયારાઓરોડ મશીનરીઓઈલેક્ટ્રીક મોટરો તથા વાયરીંગરોડરસ્તાઓમાં ખુબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે. આ નુકસાનીનો સર્વે કરાવી મીઠા ઉદ્યોગોને સહાય આપવામાં આવે તે માટેની ભલામણ કરી છે.




Latest News