મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં શહેર-તાલુકા કક્ષાએ સેવા સેતુના 22 કાર્યક્રમો યોજાશે: કલેકટર


SHARE













મોરબી જિલ્લામાં શહેર-તાલુકા કક્ષાએ સેવા સેતુના 22 કાર્યક્રમો યોજાશે: કલેકટર

મોરબી જિલ્લામાં આગામી દિવસોમાં સેતુના કાર્યક્રમો યોજાવાના છે તેની માહિતી આપતા કલેકટર કે.બી.ઝવેરીએ જણાવ્યુ હતું કે, શહેર અને તાલુકા કક્ષાએ કુલ મળીને સેવા સેતુના 22 કાર્યક્રમો યોજાવાના છે.

મોરબી જિલ્લા કલેકટર કચેરીમાં કલેક્ટર કે.બી.ઝવેરીએ પત્રકાર પરિષદ કરીને માહિતી આપી હતી કે, મોરબી જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધીમાં સેવા સેતુના 22 કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં દરેક તાલુકામાં જુદીજુદી ત્રણ જગ્યાએ અને પાલિકા વિસ્તારમાં કુલ સાત જગ્યાએ આ કાર્યક્રમ યોજાશે જેમાં 13 વિભાગો દ્વારા 55 સેવાઓ સ્થળ ઉપર જ પુરી પાડવામાં આવશે. આ સેવા સેતુ કાર્યક્રમમાં આધાકાર્ડ, રાશનકાર્ડ, આવકના પ્રમાણ પત્ર, જન્મ મરણના દાખલા સહિતની અનેક સરકારી સેવાઓ મળશે.

વધુમાં અધિકારી જણાવ્યુ હતું કે, જેમની પાસે આયુષમાન કાર્ડ નથી તેઓ સેવા સેતુમાં ઉપસ્થિત રહીને આયુષમાન કાર્ડ કઢાવે, 2.40 લાખથી ઓછી વાર્ષિક આવક હોય તેવા પરિવારો એનએફએસએ કાર્ડ માટે સેવા સેતુ કાર્યક્રમમાં અરજી કરે, રોજગાર વાચ્છુકો તેની નોંધણી કરાવે તે જરૂરી છે. વધુમાં કલેકટરે કહ્યું હતું કે, 2 ઓકટોબર થી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ કરવામાં આવશે અને મારુ મોરબી મસ્ત મોરબી બનાવવાના પ્રયાસો કરવામાં આવશે. તે અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરીને લોકોને જ્યાં ત્યાં કચરો ન નાખી મોરબીને સ્વચ્છ બનાવવા માટે જાહેર અપીલ કરવામાં આવશે.






Latest News