મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસીયા ટોલ પ્લાઝા ખાતે માર્ગ સલામતી જાગૃતિનો કાર્યક્રમ યોજાયો: દીકરીઓને કર્યું સાયકલનું વિતરણ


SHARE











વાંકાનેરના વઘાસીયા ટોલ પ્લાઝા ખાતે માર્ગ સલામતી જાગૃતિનો કાર્યક્રમ યોજાયો: દીકરીઓને કર્યું સાયકલનું વિતરણ

વાંકાનેરના વઘાસીયા ટોલ પ્લાઝા ખાતે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વઘાસીયા, ઢુવા અને જાંબુડીયા ગામની સરકારી શાળાની ૧૯ વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લામાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વઘાસિયા ટોલ પ્લાઝા ખાતે સીએસઆર પહેલ હેઠળ શૈક્ષણિક રીતે પ્રગતિશીલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા સાથે માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત વઘાસિયા, ઢુવા અને જાંબુડિયા ગામની સરકારી શાળાની વિદ્યાર્થીનીઓને કુલ ૧૯ સાયકલ વિતરણ કરવામાં આવી હતી અને શાળા બાળકોને માર્ગ સલામતી તથા સુરક્ષિત મુસાફરી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પ્રોજેક્ટ ડાયરેક્ટર અજયકુમાર સ્વામી, વાંકાનેર નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી રોહિત પ્રજાપતિ, વાંકાનેરના પીઆઇ હકૂમતસિંહ જાડેજા સહિતના અધિકારીઓ અને શાળાના બાળકો હાજર રહ્યા હતા.






Latest News