મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના હવે વધુમાં વધુ 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે: પ્રમુખ હરેશભાઈ બોપલિયા હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો હજુ કોઈ પત્તો નહીં મોરબીમાં ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા ખાતે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન  વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના હવે વધુમાં વધુ 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે: પ્રમુખ હરેશભાઈ બોપલિયા


SHARE













મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના હવે વધુમાં વધુ 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે: પ્રમુખ હરેશભાઈ બોપલિયા

મોરબીના સીરામીક કારખાનામાં વપરાતો પ્રોપેન ગેસ આજથી મળવાનો બંધ થઈ ગયેલ છે જેથી કરીને સીરામીક કારખાનેદારો પાસે તેઓના કારખાનાની અંદર જે પ્રોપેન ગેસ નો સ્ટોક છે તેના આધારે અત્યારે ઉત્પાદન ચાલુ છે પરંતુ મોરબીનો સિરામિક ઉદ્યોગ આગામી 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે. તેવું સીરામીક એસોસિયેશનના પ્રમુખ પાસેથી જાણવા મળેલ છે.

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે જે યુદ્ધ શરૂ થયું છે તેના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગને સૌથી મોટી અસર થઈ રહી છે અને તેના જ ભાગરૂપે મોરબીના જુદા જુદા સીરામીક કારખાનાઓમાં પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવતું હતું તે પ્રોપેન ગેસના ઓર્ડર લેવાનું બે દિવસથી સપ્લાય કરતી એજન્સી દ્વારા બંધ કરવામાં આવ્યું છે અને આજથી કંડલા પોર્ટ ઉપરથી પ્રોપેન ગેસના ટેન્કર ભરવાનું બંધ થઈ ગયું છે જેથી કારખાનેદારોના કારખાનાની અંદર અંજદે 24 થી 48 કલાક ચાલે તેટલો જે પ્રોપેન ગેસનો જથ્થો છે તેનો ઉપયોગ કરીને સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન થઈ શકશે ત્યારબાદ મોરબીના મોટાભાગના કારખાનાઓને પ્રોપેન ગેસ ન મળવાના કારણે ફરજિયાતના ધોરણે બંધ કરવા પડશે. તેવી માહિતી મોરબી સિરામિક એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપલિયા પાસેથી જાણવા મળેલ છે.

વધુમાં સિરામિક કારખાનેદારોના કહેવા મુજબ સીરામીકના કારખાના બંધ થશે તો લાખો લોકોની રોજગારી સામે પ્રશ્નાર્થ ઉભા થશે આટલું જ નહીં પરંતુ સીરામીક કારખાનેદારોને પણ મોટા આર્થિક સંકટનો સામનો કરવો પડશે. આ ઉપરાંત મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય નાના-મોટા ઉદ્યોગને પણના છૂટકે પોતાનું ઉત્પાદન અને યુનિટ બંધ કરવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. અને આ પરિસ્થિતિ લાંબો સમય સુધી ચાલશે તો મોરબીની આર્થિક રીતે કમર તુટી જશે.






Latest News