મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના હવે વધુમાં વધુ 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે: પ્રમુખ હરેશભાઈ બોપલિયા


SHARE











મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના હવે વધુમાં વધુ 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે: પ્રમુખ હરેશભાઈ બોપલિયા

મોરબીના સીરામીક કારખાનામાં વપરાતો પ્રોપેન ગેસ આજથી મળવાનો બંધ થઈ ગયેલ છે જેથી કરીને સીરામીક કારખાનેદારો પાસે તેઓના કારખાનાની અંદર જે પ્રોપેન ગેસ નો સ્ટોક છે તેના આધારે અત્યારે ઉત્પાદન ચાલુ છે પરંતુ મોરબીનો સિરામિક ઉદ્યોગ આગામી 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે. તેવું સીરામીક એસોસિયેશનના પ્રમુખ પાસેથી જાણવા મળેલ છે.

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે જે યુદ્ધ શરૂ થયું છે તેના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગને સૌથી મોટી અસર થઈ રહી છે અને તેના જ ભાગરૂપે મોરબીના જુદા જુદા સીરામીક કારખાનાઓમાં પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવતું હતું તે પ્રોપેન ગેસના ઓર્ડર લેવાનું બે દિવસથી સપ્લાય કરતી એજન્સી દ્વારા બંધ કરવામાં આવ્યું છે અને આજથી કંડલા પોર્ટ ઉપરથી પ્રોપેન ગેસના ટેન્કર ભરવાનું બંધ થઈ ગયું છે જેથી કારખાનેદારોના કારખાનાની અંદર અંજદે 24 થી 48 કલાક ચાલે તેટલો જે પ્રોપેન ગેસનો જથ્થો છે તેનો ઉપયોગ કરીને સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન થઈ શકશે ત્યારબાદ મોરબીના મોટાભાગના કારખાનાઓને પ્રોપેન ગેસ ન મળવાના કારણે ફરજિયાતના ધોરણે બંધ કરવા પડશે. તેવી માહિતી મોરબી સિરામિક એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપલિયા પાસેથી જાણવા મળેલ છે.

વધુમાં સિરામિક કારખાનેદારોના કહેવા મુજબ સીરામીકના કારખાના બંધ થશે તો લાખો લોકોની રોજગારી સામે પ્રશ્નાર્થ ઉભા થશે આટલું જ નહીં પરંતુ સીરામીક કારખાનેદારોને પણ મોટા આર્થિક સંકટનો સામનો કરવો પડશે. આ ઉપરાંત મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય નાના-મોટા ઉદ્યોગને પણના છૂટકે પોતાનું ઉત્પાદન અને યુનિટ બંધ કરવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. અને આ પરિસ્થિતિ લાંબો સમય સુધી ચાલશે તો મોરબીની આર્થિક રીતે કમર તુટી જશે.






Latest News