મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત


SHARE











મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત

મોરબી શહેર નજીક કોમ્પ્લેક્સની છત ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત નીપજ્યું છે જ્યારે થોરાળા ગામ પાસે આવેલ કારખાનામાં પાણીના ટાંકા ઉપર સૂતેલો યુવાન નીચે પડતા તેનું મોતની પછી હતું અને વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીક રોડ સાઈડમાં ભરલા પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું છે આ ત્રણેય બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે 

મોરબીના લખધીરપુર રોડ પર આવેલ પરિશ્રમ કોમ્પ્લેક્સ ખાતે રહેતા રાજેશભાઈ મુન્નાલાલ સવિતા (42) નામનો યુવાન કોઈપણ કારણોસર પરિશ્રમ કોમ્પલેક્ષની અગાસી ઉપરથી નીચે પડી જતા તેને ગંભીર ઇજા થઈ હતી અને તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જ્યારે બીજા બનાવમાં મોરબી તાલુકાના થોરાળા ગામના પાટીયા પાસે આવેલ શ્યામ પોલીપેક નામના કારખાનામાં રહેતો કપિલ દાઇમા (38) નામનો યુવાન કારખાનામાં ત્રીજા માળે પાણીની ટાંકી ઉપર સૂતો હતો દરમિયાન ત્યાંથી કોઈ કારણોસર અકસ્માતે તે નીચે પટકાતા યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતુ અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તેમજ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ થી આગળના ભાગમાં ઓઇલ પાઇપલાઇન ઓફિસની બાજુમાં આવેલ કોઝવે તરફ જવાના રસ્તા ઉપર રોડ સાઈડમાં ભરેલા પાણીના વોંકળામાં કોઈ કારણોસર પડી જવાથી અજાણ્યા 30 થી 35 વર્ષના યુવાનનું મોત નીપજ્યું હતું.જેથી તે યુવાનના મૃતદેહને બહાર કાઢીને સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવ અંગેની જયેશભાઈ પરસોતમભાઈ દંતેશરીયા (32) રહે.સિંધાવદરએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News