મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત


SHARE







મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત

મોરબી શહેર નજીક કોમ્પ્લેક્સની છત ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત નીપજ્યું છે જ્યારે થોરાળા ગામ પાસે આવેલ કારખાનામાં પાણીના ટાંકા ઉપર સૂતેલો યુવાન નીચે પડતા તેનું મોતની પછી હતું અને વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીક રોડ સાઈડમાં ભરલા પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું છે આ ત્રણેય બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે 

મોરબીના લખધીરપુર રોડ પર આવેલ પરિશ્રમ કોમ્પ્લેક્સ ખાતે રહેતા રાજેશભાઈ મુન્નાલાલ સવિતા (42) નામનો યુવાન કોઈપણ કારણોસર પરિશ્રમ કોમ્પલેક્ષની અગાસી ઉપરથી નીચે પડી જતા તેને ગંભીર ઇજા થઈ હતી અને તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જ્યારે બીજા બનાવમાં મોરબી તાલુકાના થોરાળા ગામના પાટીયા પાસે આવેલ શ્યામ પોલીપેક નામના કારખાનામાં રહેતો કપિલ દાઇમા (38) નામનો યુવાન કારખાનામાં ત્રીજા માળે પાણીની ટાંકી ઉપર સૂતો હતો દરમિયાન ત્યાંથી કોઈ કારણોસર અકસ્માતે તે નીચે પટકાતા યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતુ અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તેમજ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ થી આગળના ભાગમાં ઓઇલ પાઇપલાઇન ઓફિસની બાજુમાં આવેલ કોઝવે તરફ જવાના રસ્તા ઉપર રોડ સાઈડમાં ભરેલા પાણીના વોંકળામાં કોઈ કારણોસર પડી જવાથી અજાણ્યા 30 થી 35 વર્ષના યુવાનનું મોત નીપજ્યું હતું.જેથી તે યુવાનના મૃતદેહને બહાર કાઢીને સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવ અંગેની જયેશભાઈ પરસોતમભાઈ દંતેશરીયા (32) રહે.સિંધાવદરએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News