મોરબીમાં ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા ખાતે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન  વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો


SHARE













વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો

વાંકાનેરની શુકલ શેરીમાં ધુળેટીના દિવસે બાળકો પોતાના ઘર નજીક કલર અને પાણીથી ધુળેટી રમી રહયા હતા દરમિયાન ત્યાં રહેતી મહિલા બાળકોની સાઈકલ ઉપર બેસીને ફોટો વિડીયો બનાવતી હતી અને સાયકલ તેના ઘર પાસે લઈ ગઈ હતી જેથી બાળકોના માતા-પિતા તે મહિલાના ઘર પાસે ગયા હતા ત્યારે મહિલા અને તેના પતિએ શેરીમાં રહેતા લોકોને જેમ ફાવે તેમ ગાળો આપી હતી તથા ઇંટ-પથ્થરના છુટા ઘા કરીને તેઓને ઇજા કરી હતી તેમજ એક મહિલાને ડાબા પગમાં લાકડી મારી હતી જેથી ઈજા પામેલ લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે દંપતી સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરમાં રામચોક પાસે આવેલ શુકલ શેરીમાં રહેતા ખુશ્બુબેન મહેન્દ્રભાઈ વરસડાએ હાલમાં જ્યોતિકાબેન બટુકભાઈ મેઘાણી અને બટુકભાઈ ગોરધનભાઈ મેઘાણી રહે.બંને શુક્લ શેરી રામચોક વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે, ગઈકાલે ધુળેટીના દિવસે તેઓ તથા શેરીમાં રહેતા અન્ય લોકોના બાળકો કલર અને પાણીથી ધુળેટી રમતા હતા ત્યારે જ્યોતિકાબેન ત્યાં આવ્યા હતા અને છોકરાઓની સાયકલ ઉપર બેસીને ફોટો વિડીયો બનાવ્યા હતા તેમજ સાયકલ પોતાના ઘર પાસે લઈ ગયા હતા જેથી ફરિયાદી અને અન્ય સાહેદો તેના ઘર પાસે ગયા હતા ત્યારે જ્યોતિકાબેન અને તેના પતિ બટુકભાઈએ ફરિયાદી તથા અન્ય લોકોને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઘરમાંથી છૂટા ઈંટ પથ્થરના ઘા કર્યા હતા જેથી સાહેદ નિરાલીબેન, સાવિત્રીબેન તથા અન્ય બાળકોને ઇજા થઈ હતી અને આરોપીના ઘર પાસેથી ફરિયાદી સહિતના લોકો પરત પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે જ્યોતિકાબેન લાકડી હાથમાં લઈને આવ્યા હતા અને ફરિયાદીને ડાબા પગમાં મારીને ઇજા કરી હતી આમ ફરિયાદી સહિતના લોકોને લાકડી અને પથ્થર વડે માર મારીને ઇજાઓ કરવામાં આવી હતી જેથી ઇજા પામેલ લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે દંપતિ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News