મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આદિવાસી સમાજનું શોષણ બંધ કરો સહિત 12 માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું


SHARE











મોરબી જીલ્લામાં આદિવાસી સમાજનું શોષણ બંધ કરો સહિત 12 માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

મોરબી જિલ્લાના ટંકારા તાલુકા વિસ્તારમાં ખેતીમાં તથા ઔદ્યોગિક એકમોમાં રોજગારી માટે તેને આદિવાસી પરિવારો આવતા હોય છે અને તે લોકોનું યેનકેન પ્રકારે શોષણ કરવામાં આવતું હોય છે અને સુવિધાઓ આપવામાં આવતી નથી જેથી કરીને આજે મોરબી જિલ્લા આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેઓની વિવિધ ૧૨ જેટલી માંગણીઓ રજૂ કરવામાં આવી છે અને તે માંગણીઅને સંતોષવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી તથા ગુજરાત બહારથી ઘણા આદિવાસી પરિવારો મોરબી જિલ્લામાં ખેતીવાડી તથા ઉદ્યોગિક એકમોમાં રોજગારી મેળવવા માટે થઈને આવતા હોય છે પરંતુ તેઓને જરૂરી સેફ્ટીના સાધનો તથા પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી અને ઘણી વખત તેઓની બહેન દીકરીઓની સાથે અઘટિત ઘટનાઓ બને છે અને અત્યાચારો થતા હોય તેવી ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી ચૂકી છે ત્યારે મોરબી જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આજે મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને વિવિધ ૧૨ જેટલી માંગણીઓ રજૂ કરી હતી જેમાં ખાસ કરીને વાડી વિસ્તારમાં રહેતા શ્રમિકો માટે સૌચાલયની વ્યવસ્થા કરવામાં આવે, તે લોકોને સેફ્ટીના સાધનો આપવામાં આવે, અતિવૃષ્ટિ કે દુષ્કાળના કારણે પાક નિષ્ફળ જાય તો તેઓને પણ ભાગિયા હોવાથી વળતર આપવામાં આવે, જંતુનાશ દવાઓ અને રાસાયણિક ખાતરના ભાવમાં ઘટાડો કરવામાં આવે, ખેડૂતોની જણસનો ઊંચો ભાવ આપવામાં આવે, આદિવાસી પરિવારના બાળકોના સારા શિક્ષણ માટેની વ્યવસ્થા કરવામાં આવે, બહારથી રોજગારી માટે આવતા આદિવાસી પરિવારનું રજીસ્ટ્રેશન કરવામાં આવે તેમજ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા વિવિધ જાહેરનામાઓની અમલવારી કરી તેનો પૂરતો લાભ આપવામાં આવે તે સહિતની માંગણીઓ કરવામાં આવી છે અને શ્રમિક પરિવારોને વીમા પોલીસનું રક્ષણ મળે તથા આરોગ્યની સારવાર મળે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરાઈ છે આ તકે અશોકભાઈ સમ્રાટ, મનસુખભાઇ ચૌહાણ, નગજીભાઇ ચૌહાણ સહિતના આદિવાસી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં શ્રમિકો સહિતના હાજર રહ્યા હતા. 






Latest News