મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ
Breaking news
Morbi Today

એબીવીપીના 57માં ગુજરાત પ્રદેશ અધિવેશનમાં મોરબી જિલ્લાના 3 વિદ્યાર્થીઓને જવાબદારી સોંપાઈ


SHARE







એબીવીપીના 57માં ગુજરાત પ્રદેશ અધિવેશનમાં મોરબી જિલ્લાના 3 વિદ્યાર્થીઓને જવાબદારી સોંપાઈ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 9 જુલાઈ,1949 થી વિદ્યાર્થી હિત અને રાષ્ટ્ર હિત માટે કાર્ય કરતું વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે. તાજેતરમાં એબીવીપીનું 57મું ગુજરાત પ્રદેશ અધિવેશન આણંદ ખાતે યોજાયું હતું. જેમાં ભાઈઓ અને બહેનો સહિત કુલ 1178 વિદ્યાર્થીઓ આવ્યા હતા અને તેમાં મોરબી જિલ્લામાંથી 30 વિદ્યાર્થીઓ ભાગ લીધેલ હતો. આ વર્ષનું અધિવેશન સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જયંતી નિમિત્તે તેની થિમ પર કરવામાં આવ્યું હતું. અને આ અધિવેશનમાં મોરબી જિલ્લાના રાજદિપસિંહ જાડેજા (રાજ્ય વિશ્વ વિદ્યાલય સહ સંયોજક), હિલભાઈ બુદ્ધદેવ (પ્રદેશ કારોબારી સદસ્ય) અને આયુષીબેન ઘોડાસરા (પ્રદેશ કારોબારી સદસ્ય)ને પ્રદેશ સ્તરની જવાબદારી સોંપવામાં આવી છે.






Latest News