મોરબીનો સિરામિક ઉદ્યોગ બંધ થાય તો લાખો શ્રમિકોની રોજગારી સામે પ્રશ્નાર્થ, ઉદ્યોગકારોએ ઉધારમાં આપેલા માલના કરોડો રૂપિયા ફસાઈ તેવા સંકેત મોરબીના લાલપર ગામ પાસે યુવાન અને મકનસર ગામે યુવતીએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક જુદાજુદા બે કારખાનામાં કોઈ કારણોસર વૃદ્ધ અને યુવાનનું મોત માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસે જી.કે.હોટલના ગ્રાઉન્ડમાં હોળીની રાતે નાળિયેરની રમત રમતા યુવાન સહિતનાઓને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી: ત્રણ સામે ગુનો નોંધાયો માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત
Breaking news
Morbi Today

એબીવીપીના 57માં ગુજરાત પ્રદેશ અધિવેશનમાં મોરબી જિલ્લાના 3 વિદ્યાર્થીઓને જવાબદારી સોંપાઈ


SHARE













એબીવીપીના 57માં ગુજરાત પ્રદેશ અધિવેશનમાં મોરબી જિલ્લાના 3 વિદ્યાર્થીઓને જવાબદારી સોંપાઈ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 9 જુલાઈ,1949 થી વિદ્યાર્થી હિત અને રાષ્ટ્ર હિત માટે કાર્ય કરતું વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે. તાજેતરમાં એબીવીપીનું 57મું ગુજરાત પ્રદેશ અધિવેશન આણંદ ખાતે યોજાયું હતું. જેમાં ભાઈઓ અને બહેનો સહિત કુલ 1178 વિદ્યાર્થીઓ આવ્યા હતા અને તેમાં મોરબી જિલ્લામાંથી 30 વિદ્યાર્થીઓ ભાગ લીધેલ હતો. આ વર્ષનું અધિવેશન સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જયંતી નિમિત્તે તેની થિમ પર કરવામાં આવ્યું હતું. અને આ અધિવેશનમાં મોરબી જિલ્લાના રાજદિપસિંહ જાડેજા (રાજ્ય વિશ્વ વિદ્યાલય સહ સંયોજક), હિલભાઈ બુદ્ધદેવ (પ્રદેશ કારોબારી સદસ્ય) અને આયુષીબેન ઘોડાસરા (પ્રદેશ કારોબારી સદસ્ય)ને પ્રદેશ સ્તરની જવાબદારી સોંપવામાં આવી છે.






Latest News