મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

વાંકાનેરના કેરાળા ગામે “તું તારુ બી.પી.એલ. મકાન તારા પિતાને કેમ વેચવા દેતો નથી” કહીને યુવાનને બે શખ્સોએ માર માર્યો


SHARE













વાંકાનેરના કેરાળા ગામે “તું તારુ બી.પી.એલ. મકાન તારા પિતાને કેમ વેચવા દેતો નથી” કહીને યુવાનને બે શખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકાનાં કેરાળા ગામે “તું તારુ બી.પી.એલ. મકાન તારા પિતાને કેમ વેચવા દેતો નથી” તેમ કહીને બે શખ્સો દ્વારા યુવાનને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના સરતાનપર ગામે રામ મંદિર પાછળ ધારશીભાઈ કોળીના મકાનમાં રહેતા ઉકાભાઈ લાખાભાઈ બાંભવા જાતે ભરવાડ (ઉ.૨૯)એ ગોવિંદભાઈ ગોરાભાઈ બાંભવા તથા લાલાભાઈ ગોવિંદભાઈ બાંભવા રહે બંને કેરાળા તાલુકો વાંકાનેર વાળની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને લખાવ્યું છે કેકેરાળા ગામમાં બાલુભાઈ મુસલમાનની દુકાન પાસે તે હતો ત્યારે તેનું બી.પી.એલ. મકાન કેરાળા ગામે આવેલ છે જે મકાન વેચવાની તેને પોતાના પિતાને ના પડી હતી જેથી કરીને આરોપી ગોવિંદભાઈ ગોરાભાઈ બાંભવાએ “તું તારુ બી.પી.એલ. મકાન તારા પિતાને કેમ વેચવા દેતો નથી” તેમ કહેતા ફરીયાદીએ મકાન બી.પી.એલ.માં આવ્યું હોય વેચી શકાય નહિ જેથી મારે મકાન વેચવુ નથી તેમ કહેતા આરોપીને સારૂ નહિ લાગતા બંને આરોપીઓએ તેને ગાળો આપી હતી અને ગોવિંદભાઈ ગોરાભાઈ બાંભવાએ તેને લાકડી વતી ડાબી બાજુ પેટના ભાગે તથા જમણા હાથે કાંડાના ભાગે મુંઢ માર મારી ઇજા કરી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતાં વાંકાનેર સીટી પોલીસે આઈ.પી.સી. કલમ ૩૨૩૫૦૪૫૦૬ (૨)૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી કરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ 






Latest News