મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના કેરાળા ગામે “તું તારુ બી.પી.એલ. મકાન તારા પિતાને કેમ વેચવા દેતો નથી” કહીને યુવાનને બે શખ્સોએ માર માર્યો


SHARE











વાંકાનેરના કેરાળા ગામે “તું તારુ બી.પી.એલ. મકાન તારા પિતાને કેમ વેચવા દેતો નથી” કહીને યુવાનને બે શખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકાનાં કેરાળા ગામે “તું તારુ બી.પી.એલ. મકાન તારા પિતાને કેમ વેચવા દેતો નથી” તેમ કહીને બે શખ્સો દ્વારા યુવાનને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના સરતાનપર ગામે રામ મંદિર પાછળ ધારશીભાઈ કોળીના મકાનમાં રહેતા ઉકાભાઈ લાખાભાઈ બાંભવા જાતે ભરવાડ (ઉ.૨૯)એ ગોવિંદભાઈ ગોરાભાઈ બાંભવા તથા લાલાભાઈ ગોવિંદભાઈ બાંભવા રહે બંને કેરાળા તાલુકો વાંકાનેર વાળની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને લખાવ્યું છે કેકેરાળા ગામમાં બાલુભાઈ મુસલમાનની દુકાન પાસે તે હતો ત્યારે તેનું બી.પી.એલ. મકાન કેરાળા ગામે આવેલ છે જે મકાન વેચવાની તેને પોતાના પિતાને ના પડી હતી જેથી કરીને આરોપી ગોવિંદભાઈ ગોરાભાઈ બાંભવાએ “તું તારુ બી.પી.એલ. મકાન તારા પિતાને કેમ વેચવા દેતો નથી” તેમ કહેતા ફરીયાદીએ મકાન બી.પી.એલ.માં આવ્યું હોય વેચી શકાય નહિ જેથી મારે મકાન વેચવુ નથી તેમ કહેતા આરોપીને સારૂ નહિ લાગતા બંને આરોપીઓએ તેને ગાળો આપી હતી અને ગોવિંદભાઈ ગોરાભાઈ બાંભવાએ તેને લાકડી વતી ડાબી બાજુ પેટના ભાગે તથા જમણા હાથે કાંડાના ભાગે મુંઢ માર મારી ઇજા કરી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતાં વાંકાનેર સીટી પોલીસે આઈ.પી.સી. કલમ ૩૨૩૫૦૪૫૦૬ (૨)૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી કરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ 






Latest News