મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

વાંકાનેરનાં સરતાનપર નજીક કારખાનામાં ચોર સમજી માર મારીને યુવાનની હત્યા કરનારા ચાર આરોપીની ધરપકડ


SHARE













વાંકાનેરનાં સરતાનપર નજીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં ચોર સમજી માર મારીને યુવાનની હત્યા કરનારા ચાર આરોપીની ધરપકડ

વાંકાનેર તાલુકાનાં સરતાનપર ગામની સીમમાં આવેલ ફ્લાય સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રાત્રિના સમયે સૂતેલ મહિલા અને તેની દીકરીનું અજાણ્યા શખ્સ દ્વારા ગોદડું ખેંચવામાં આવ્યું હતું જેથી કરીને મહિલાએ બૂમા બૂમ કરી મૂકી હતી અને મહિલાના પતિ સહિતના પાંચ શ્ખ્સોએ ત્યાં આવીને અજાણ્યો શખ્સ ચોર સમજીને માર માર્યો હતો જેથી અજાણ્યા યુવાનનું મોત થયું હતું જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને હત્યાનો ગુનો નોંધાયો હતો જેમાં પોલીસે હાલમાં ચાર આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પીપળીયા ગામે રહેતા રજનીશભાઇ હસમુખભાઇ કોઠીયા જાતે પટેલ (ઉ.૨૫)એ બબુદીન ઉર્ફે રાજુભાઇ અલીખાન, અસલમ જાબુદીન મલીક, કપીલકુમાર વીરપલસિંહ, રાહુલકુમાર સંજયસિંહ રહે. ચારેય મૂળ ઉત્તર પ્રદેશ અને મહેન્દ્રસિંહ ધરનાસિંહ રહે. મૂળ અજમેર રાજસ્થાન વાળાની  સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તા ૯/૭ ના રોજ રાતે ૨થી ૩ વાગ્યાના અરસામાં વાંકાનેર તાલુકાનાં સરતાનપર ગામની સીમમાં આવેલ ફ્લાય સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં મરણ જનાર અજાણ્યો આશરે ૨૫થી ૩૫ વર્ષનો પૂરૂષ આવ્યો હતો અને આરોપી બબુદીન ઉર્ફે રાજુભાઇ અલીખાનની પત્ની બાનુબેન તથા તેમની દિકરી લેલાબેન સુતા હતા ત્યારે તેમનું ગોદડુ ખેંચતા તેઓ જાગી ગયા હતા અને દેકારો કરતા અજાણ્યો ઇસમ ચોરી કરવા આવેલ છે તેવું માનીને બબુદીન ઉર્ફે રાજુભાઇ અલીખાન, કપીલકુમાર વીરપલસિંહ, રાહુલકુમાર સંજયસિંહ, મહેન્દ્રસિંહ ધરનાસિંહ અને અસલમ જાબુદીન મલીકએ તેને પકડીને લાકડી વતી માર માર્યો હતો અને તેનું માથુ પકડી પછાડી ઢીકાપાટુનો ઢોર માર્યો હતો જેથી કરીને અજાણ્યા પુરૂષને માથામાં ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજયુ હતું માટે કારખાનેદારની હત્યાની ફરિયાદ લેવામાં આવી હતી જે ગુનામાં પોલીસે આરોપી બબુદીન ઉર્ફે રાજુભાઇ અલીખાન, કપીલકુમાર વીરપલસિંહ, રાહુલકુમાર સંજયસિંહ અને મહેન્દ્રસિંહ ધરનાસિંહ નામના ચાર આરોપીની ધરપકડ કરેલ છે જો કે એક આરોપીને પકડવાનો બાકી છે 






Latest News