તાંઝાનિયામાં બે બસ વચ્ચે ટક્કરમાં ૩૮ લોકોના મોત થયા મોરબીની પીપળીયા ચોકડી નજીક સગીરા સાથે દુષ્કર્મ, ગુનો નોંધાતા તપાસ શરૂ મોરબીના બેલા નજીક અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબી: ઝાડા ઉલટી થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીમાં મોરબીના કાર્યકર્તાઓએ હાજર રહ્યા કચ્છથી મોરબી આવેલ બોલેરો ગાડીમાં ગૌવંશ હોવાની બાતમી આધારે વાહન ચેક કરવા ગયેલ ગૌરક્ષકો ઉપર ખાટકીવાસમાં ધોકા, પાઇપ અને તિક્ષણ હથિયાર વડે હુમલો મોરબીના આમરણ નજીક ટેન્કર ચાલકે ડબલ સવારી બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત, એકને ઇજા મોરબીમાં ઘરમાં કબાટના લોક ખોલીને સોનાના દાગીના સહિત 1.93 લાખના મુદામાલની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાં ડુબી જતા એક બાળકનું મોત, એકનો બચાવ


SHARE















મોરબીની મચ્છુ નદીમાં ડુબી જતા એક બાળકનું મોત, એકનો બચાવ

 
મોરબી મચ્છુ નદીના પટમાં પાજ નજીક બે બાળકો ગયા હતા જે પૈકી એક ડુબી ગયો હતો. જે બનાવની જાણ મોરબી પાલિકાને કરવામાં આવી હતી.જોકે બે પૈકી એક બાળક પાજ નજીક પાણીના ખાડામાં ડુબી ગયો હતો.તેથી નદીના પાણીમાં ગરકાવ થયેલા એક બાળકને શોધવા માટે થઈને ફાયર વિભાગના સ્ટાફે કવાયત શરૂ કરી હતી અંતે મોરબી નગરપાલિકાની ટીમ દ્વારા બાળકને શોધવા કરવામાં આવેલ કવાયતના અંતે મચ્છુ નદીમાં ડૂબેલા બાળકના મૃતદેહને બહાર કાઢીને હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે અને બનાવની મોરબી ડિવિઝન બી ડીવીજન પોલીસે થતા તેમણે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
 
મોરબીની મચ્છુ નદીમાં પટમાં આવેલ પાજ નજીક આજે તા.૧૦ ના રોજ ગ્રીનચોક વિસ્તારમાં રહેતા બે બાળકો ગયા હતા જે પૈકી ડુબી જવાથી એક બાળકનું મોત નિપજેલ છે.જાણવા મળતી વિગતો મુજબ શહેરના ગ્રીનચોક વિસ્તારમાં આવેલી કંસારા શેરીમાં રહેતો હર્ષ દિનેશભાઇ વાસરાણી (ઉમર ૧૪) નામના બાળકનું ડુબી જવાથી મોત નિપજેલ છે. મૃતક હર્ષ વારસાણી સાંજે પારેખ શેરીમાં રહેતા તેના મિત્ર ઓમની સાથે મચ્છુ નદીમાં પટમાં આવેલી પાજ પાસે પાણી ભરેલ ખાડામાં ન્હાવા માટે ગયો હતો તે સમયે તે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.બાદમાં જાણ થતા મોરબી પાલિકાના ફાયર વિભાગની ટીમે મૃતક બાળક હર્ષ દિનેશભાઇ વાસરાણી (ઉમર ૧૪) રહે.કંસારા શેરી બજાર લાઇન મોરબીની લાશ નદીમાંથી બહાર કાઢીને પીએમ માટે સિવિલે ખસેડી હોવાનું જાણવા મળેલ છે અને પોલીસે રાબેતા મુજબની તપાસ હાથ ધરેલ છે.

મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બીપોઝીટીવ




Latest News