મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સૂમસામ માર્ગ વચ્ચે માત્ર 15 ભાવિકો સાથે યોજાઈ અષાઢી બીજ શોભાયાત્રા


SHARE













(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં કોરોના અન્વયે સરકારી ગાઈડ લાઈન મુજબ મર્યાદિત ભાવિકો સાથે સૂમસામ માર્ગ પરથી અષાઢી બીજ શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

રાજ્યમાં કોરોનાની સંભવતઃ ત્રીજી લહેર અનુલક્ષીને પ્રશાસન દ્વારા આ સાલ કોરોના ગાઈડ લાઈનની ચુસ્ત  અમલવારી કરાવવામાં આવી હતી, મોરબી જીલ્લા કલેક્ટર દ્વારા શોભાયાત્રા રૂટ પર સવારે 9 થી 4 દરમ્યાન કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો, જેને પગલે પોલીસ તંત્ર દ્વારા આગલે દિવસે જ આ રૂટ પરનાં વેપારીઓને દુકાનો બંધ રાખવા સૂચના આપી દેવાઈ હતી, અને આજે સવારથીજ શોભાયાત્રાનાં માર્ગને  બંધ કરી દેવામાં આવ્યો હતો, અને ટ્રાફિક ડાયવર્ટ કરી દેવાયો હતો, મછુ નદી ખાતે આવેલ માતાજીની દેરીથી શોભાયાત્રાનો શાંતિ પૂર્ણ પ્રારંભ કરાયો હતો, માત્ર 15 જેટલાં ભાવિકો દ્વારા ગાઈડ લાઈન મુજબ શોભાયાત્રા યોજાઇ હતી, જોકે ભાવિકોથી વધુ પોલીસ કર્મીઓ શોભાયાત્રામાં દેખાયા હતાં, સૂમસામ માર્ગો વચ્ચે બિલકુલ સુમસામ  આવી પ્રથમ શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે મછૂ માતાજી મંદિર ખાતે સંપન્ન થઈ હતી, dysp રાધિકા ભારાઈ, વાંકાનેર શહેર પી.આઈ. એચ..એન. રાઠોડ સતત હાજર રહી ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો.








Latest News