મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સૂમસામ માર્ગ વચ્ચે માત્ર 15 ભાવિકો સાથે યોજાઈ અષાઢી બીજ શોભાયાત્રા


SHARE











(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં કોરોના અન્વયે સરકારી ગાઈડ લાઈન મુજબ મર્યાદિત ભાવિકો સાથે સૂમસામ માર્ગ પરથી અષાઢી બીજ શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

રાજ્યમાં કોરોનાની સંભવતઃ ત્રીજી લહેર અનુલક્ષીને પ્રશાસન દ્વારા આ સાલ કોરોના ગાઈડ લાઈનની ચુસ્ત  અમલવારી કરાવવામાં આવી હતી, મોરબી જીલ્લા કલેક્ટર દ્વારા શોભાયાત્રા રૂટ પર સવારે 9 થી 4 દરમ્યાન કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો, જેને પગલે પોલીસ તંત્ર દ્વારા આગલે દિવસે જ આ રૂટ પરનાં વેપારીઓને દુકાનો બંધ રાખવા સૂચના આપી દેવાઈ હતી, અને આજે સવારથીજ શોભાયાત્રાનાં માર્ગને  બંધ કરી દેવામાં આવ્યો હતો, અને ટ્રાફિક ડાયવર્ટ કરી દેવાયો હતો, મછુ નદી ખાતે આવેલ માતાજીની દેરીથી શોભાયાત્રાનો શાંતિ પૂર્ણ પ્રારંભ કરાયો હતો, માત્ર 15 જેટલાં ભાવિકો દ્વારા ગાઈડ લાઈન મુજબ શોભાયાત્રા યોજાઇ હતી, જોકે ભાવિકોથી વધુ પોલીસ કર્મીઓ શોભાયાત્રામાં દેખાયા હતાં, સૂમસામ માર્ગો વચ્ચે બિલકુલ સુમસામ  આવી પ્રથમ શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે મછૂ માતાજી મંદિર ખાતે સંપન્ન થઈ હતી, dysp રાધિકા ભારાઈ, વાંકાનેર શહેર પી.આઈ. એચ..એન. રાઠોડ સતત હાજર રહી ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો.






Latest News