વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

હળવદ તાલુકાના સુખપર ગામના ખેડુતોએ ઉચ્ચારી આત્મ વિલોપનની ચિમકી


SHARE











હળવદ તાલુકાના સુખપર ગામના ખેડુતોએ ઉચ્ચારી આત્મ વિલોપનની ચિમકી

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના સુખપર ગામના ખેડુતોએ આત્મહત્યાની ચિમકી ઉચ્ચારી છે અને આજે હળવદ પોલીસ અને મામલતદાર કચેરીમાં ખેડુતોએ આવેદનપત્ર આપ્યુ છે જેમા તેઓએ સરકારી જમીન પર દબાણ કરવા ખોટા પુરાવા મહંત દ્વારા ઉભાં કરીને તેઓને હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે  અને મહંત વારંવાર અરજી કરી ખેડુતોને હેરાન કરતા હોવાનો આક્ષેપ ખેડુતોનો આક્ષેપ કર્યો છે

હળવદના શક્તિનગર ગામે આવેલ નકલંકધામ મંદિરના મહંત દલસુખરામબાપુ વિરુદ્ધમાં સુખપર ગામના ખેડુતો દ્વારા મામલતદાર અને પોલીસને આવેદન પત્ર આપવામાં આવ્યુ છે અને દલસુખરામબાપુએ ખેડૂતની જમીન તેમજ સરકારી જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ ખેડુતો દ્વારા આવેદનમાં કરવામાં આવ્યો છે આટલુલજ નહી પરંતુ મહંત દલસુખરામબાપુ ખેડૂતને ધાકધમકી આપતા હોવાનો આક્ષેપ પણ ખેડુતોએ કર્યો છે છેલ્લા ઘણા વર્ષથી દલસુખરામબાપુ અને ખેડૂત વચ્ચે જમીન બાબતે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આજે આવેદનપત્ર આપીને પોલીસ મથક પાસે મહિલાઓએ દલસુખ મહારાજ હાય હાયના નારા લગાવી છાજીયા લીધી હતા અને ખેડુતોએ આત્મ વિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી હતી






Latest News