મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના લાકડધાર ગામે કૂવામાં પડી જતા તરૂણનું મોત


SHARE













વાંકાનેરના લાકડધાર ગામે કૂવામાં પડી જતા તરૂણનું મોત
 
મોરબીના વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે રાજુભાઈની વાડીએ કૂવામાં પડી જવાથી તરૂણનુ મોત નીપજયું હતું. જેથી કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને માનસીક અસ્થીર મૃતક તરૂણના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. 
 
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં રાજુભાઇની વાડી આવેલ છે જેમાં આવેલ કુવામાં બાજુમાં રહેતો વિક્રમ અરવિંદભાઈ સગાલા જાતે કોળી (ઉંમર વર્ષ ૧૬) રહે. લાકડધાર તા.વાંકાનેર વાળો પડી જતા ડુબી જવાથી તેનું મોત નીપજયું હતું.જેથી કરીને તેના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢીને વાંકાનેર હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને વાંકાનેર હોસ્પિટલના સ્ટાફ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા બીટ જમાદાર જે.જી.ઝાલાએ અકસ્માત મોત અન્વયે નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરે છે.તેઓના જણાવ્યા પ્રમાણે મૃતક વિક્રમભાઈ કોળી અવારનવાર ઘરેથી કહ્યા વિના ચાલ્યા જતા હતા અને માનસિક અસ્થિર હોય કોઈ કારણોસર તેમના ઘરની બાજુમાં આવેલ રાજુભાઈની વાડીના કુવામાં પડી જવાથી વિક્રમ કોળીનું મોત નિપજેલ છે.
 
મહિલાનું મોત
 
મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે આવેલ સોકેરા સિરામિકની અંદર રહેતા અને મજૂરી કામ કરતા ચિત્રાબેન નીરજભાઈ પાંડે (ઉંમર ૨૭) ને કમળાની બીમારી હતી દરમિયાન તેણીનું મોત થયું હતું જેથી કરીને તેઓના પતિ ચિત્રાબેનના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
 
બાળક-યુવાન સારવારમાં
 
મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર આવેલ સનગોલ્ડ સેનેટરી નજીક બાઇકમાં જઇ રહેલા ઉમર મન્સૂરી નામનો સાત વર્ષના બાળક શ્રીજીકાંટા નજીક ચાલુ બાઇકે પડી જતા સારવારમાં ખાનગી હોસ્પીટલે ખસેડાયો હતો.જ્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લાયન્સનગર વિસ્તારમાં રહેતા પ્રદીપ મગનભાઇ છાસીયા નામનો ૨૭ વર્ષનો યુવાન કોઈ કારણોસર તેના ઘેર ફિનાઇલ પી ગયો હતો જેથી કરીને તેને સારવારમાં ખસેડાતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના વી.ડી.મેતાએ આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ





Latest News