મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના જોન્સનગરમાં ઈરાનની હત્યા કરનારા ફરીદ અને ઇમ્તિયાઝની પોલીસે કરી ધરપકડ


SHARE













મોરબીના જોન્સનગરમાં ઈરાનની હત્યા કરનારા ફરીદ અને ઇમ્તિયાઝની પોલીસે કરી ધરપકડ

મોરબી શહેરના જોન્સનગર વિસ્તારમાં શુક્રવારે સાંજે યુવાનને છરીના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી જેથી કરીને મૃતક યુવાનના ભાઈએ બે શખ્સોની સામે મોરબી સિટી એ ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હત્યા સહિતના કલમ હેઠળ ગુનો નોધીને હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે



બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના લાતી પ્લોટ શેરી-૧૧ પાસે આવેલ જોન્સનગર વિસ્તારમાં ગત શુક્રવારે સાંજના સમયે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઈરાન હાજીભાઇ ખોડ (૨૫) નામના યુવાનને બે શખ્સોએ છરીના ઘા ઝીકીને હત્યા કરી હતી જેથી કરીને પોલીસે મૃતક યુવાનના ભાઈ અસ્લમ હાજીભાઇ ખોડ (૨૨) રહે, સામાકાંઠે ભીમસર વાળાની ફરિયાદ લીધી હતી જેમાં ફરિયાદીએ જણાવ્યુ હતું કે, જોન્સનગર વિસ્તારમાં તેનો ભાઈ ઈરાન હાજીભાઇ ખોડ (૨૫) ઊભો હતો ત્યારે બાઈક નંબર જીજે ૩૬ એબી ૨૦૨૮ લઈને ફરીદ અબ્બાસભાઈ સાયચા અને ઇમ્તિયાઝ સલિમભાઈ ભટ્ટી રહે, બંને શિવ સોસાયટી, કાલિકા પ્લોટ વાળા ત્યાં આવ્યા હતા અને તેમણે ઈરાનની સાથે ઝપાઝપી કરી હતી અને બાદમાં ગાળો આપીને ફરીદે તેની પાસે રહેલી છરી વડે હુમલો કર્યો હતો અને ઈરાનને છરીનો ઘા ઝીકિ દીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું આ ગુનામાં પોલીસે આરોપી ફરીદ અબ્બાસભાઈ સાયચા મિયાણા (૨૨) અને ઇમ્તિયાઝ સલિમભાઈ ભટ્ટી જાતે મિયાણા (૨૦) રહે, હાલ બંને શિવ સોસાયટી સાયન્ટીફીક વાડી રોડ મોરબી મૂળ રહે, વવાણિયા તાલુકા માળીયા વાળાની પીઆઇ બી.પી. સોનારાએ કલમ ૩૦૨, ૫૦૪ અને ૧૧૪ હેઠળ ધરપકડ કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News