મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી-માળિયામાં નર્મદા કેનાલમાથી ખેડૂતોને સિચાઈનું પાણી આપવા અજય લોરીયાની માંગ


SHARE













મોરબી-માળિયામાં નર્મદા કેનાલમાથી ખેડૂતોને સિચાઈનું પાણી આપવા અજય લોરીયાની માંગ

મોરબી જીલ્લામાં સંતોષકારક વરસાદ પડ્યો નથી અને હલમ વરસાદ ખેંચાયો છે ત્યારે નર્મદા કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ગામોના ખેડૂતોને કેનાલમાંથી પાણી આપવા માટે મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનની આગેવાનીમાં ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામા આવ્યું છે


મોરબી જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયાની આગેવાનીમાં મોરબી અને માળીયા તાલુકાનાં ખેડૂતોએ કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં તેઓએ જણાવ્યું છે કે મોરબી માળિયા તાલુકામાં નર્મદાની કેનાલ આવેલ છે જો કે, તેના કમાન્ડ વિસ્તારના ગામોમાં હાલમાં વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક મુરજાઈ રહ્યો છે ત્યારે ખેડૂતોના પાકને બચાવવા માટે નર્મદની કેનાલમાથી પાણી આપવામાં આવે તે અનિવાર્ય છે ત્યારે નર્મદા કેનાલમાંથી ખેડૂતોને સિચાઈ માટેનું પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.






Latest News