મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

વાંકાનેરના અરણીટીંબામાં ખેડૂતો પર ખોટી એટ્રોસીટીની ફરિયાદ કરી હોવાના આક્ષેપ સાથે પોલીસ મથકે ખેડૂતોના ધામા


SHARE













વાંકાનેરના અરણીટીંબામાં ખેડૂતો પર ખોટી એટ્રોસીટીની ફરિયાદ કરી હોવાના આક્ષેપ સાથે પોલીસ મથકે ખેડૂતોના ધામા

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેર તાલુકાનાં અરણીટીબા ગામનાં ખેડૂત ખાતેદારો પર જમીન બાબતે ખોટી રીતે એટ્રોસીટી ફરિયાદ દાખલ કરાઈ હોવાના આક્ષેપો સાથે ખેડૂતો વાંકાનેર તાલુકા પોલીસ મથકે ઉમટયા હતાં અને ફરિયાદ રદ કરવાની માંગ કરી હતી.

તાલુકાના અરણીટીબા ગામનાં 5 થી 7 જેટલા ખેડૂત ખાતેદારો પર જમીન બાબતે ખોટી રીતે એટ્રોસીટી ફરિયાદ દાખલ કરાઈ હોવાના અને પોલીસ દ્વારા પણ કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર આ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી હોવાનાં આક્ષેપો સાથે ખેડૂતો વાંકાનેર તાલુકા પોલીસ મથકે ઉમટી પડયાં હતાં, અને ફરિયાદ રદ કરવાની ઉગ્ર માંગ કરી હતી, અને જો આ બાબતે યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો પાંચ હજાર જેટલા ખેડૂતો ઉમટી પડશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી, આ ગામના ખેડૂતો પર માલિકીનાં ખરા (જમીન) બાબતે ગામનાં જ અમુક લોકો દ્વારા આ રીતે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાના આક્ષેપો કર્યા હતાં, અને પોલીસ દ્વારા પણ કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર રાગ દ્વેષ રાખી આ ફરિયાદ દાખલ કરી દેવાઈ હોવાના આક્ષેપો સાથે ખેડૂતો વાંકાનેર તાલુકા પોલીસ મથકે ઉમટયા હતાં, અને યોગ્ય કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવતાં ગરમાવો ફેલાવા પામ્યો હતો.






Latest News