મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

ભાજપના ડરના લીધે લોકો સીધા આમ આદમી પાર્ટીમાં આવતા નથી: મહેશભાઇ સવાણી


SHARE













ભાજપના ડરના લીધે લોકો સીધા આમ આદમી પાર્ટીમાં આવતા નથી: મહેશભાઇ સવાણી

ગુજરાત આમ આદમી પાર્ટીના આગેવાન મહેશભાઇ સવાણી મોરબીમાં આવ્યા હતા ત્યારે જિલ્લા કાર્યાલયનું તેમણે ઉધઘટન કર્યું હતું અને બાદમાં પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં ૯૦ ટકા લોકો આમ આદમી પાર્ટી સાથે જો કે, તે લોકો ભાજપના ડરના લીધે સામે આવતા નથી કેમ કે ભાજપ દ્વારા તેઓને નુકશાન કરવામાં આવે છે  

મોરબીમાં અવની ચોકડી પાસે પાટીદાર સોપિંગ સેન્ટરમાં આમ આદમી પાર્ટીના આગેવાન મહેશભાઇ સવાણીના હસ્તે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ  ઇન્દ્રપ્રસ્થ પાર્ટી પ્લોટ રવાપર-ધુનડા રોડ મોરબી ખાતે જિલ્લાના આપના કાર્યકરો સાથે મુલાકાત રાખવામાં આવી હતી ત્યારે જુદાજુદા ગામના આગેવાનો, સરપંચો સહિતના લોકો આપમાં જોડાયા હતા આ તકે મોરબી જિલ્લાના પ્રમુખ યોગેશ રંગપરિયા સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા ત્યાર બાદ પત્રકાર પરિષદ યોજાઇ હતી

જેમાં ગુજરાત આમ આદમી પાર્ટીના આગેવાન મહેશભાઇ સવાણીએ જણાવ્યુ હતું કે, હાલમાં ગુજરાતનાં જુદાજુદા જિલ્લા તાલુકામાં ઘણા લોકો આમમાં જોડાઈ રહ્યા છે અને જે લોકો આપમાં જોડાયા છે તે રાજકારણ કરવા માટે નહીં પરંતુ લોકોને સારી સુવિધાઓ આપવા માટે આપની સાથે જોડાયા છે આજે ખેડૂતો, વેપારીઓ, વિદ્યાર્થીઓએ, વાલીઓ સહિતના હેરાન છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી નંબર વન પાર્ટી હશે તેવો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યુ હતું કે, ગુજરાતમાં ૯૦ ટકાથી વધુ લોકો આમ આદમી પાર્ટી સાથે જો કે, આ લોકો ભાજપના ડરના લીધે સામે આવતા નથી કેમ કે જો તે લોકો આપમાં ખૂલીને જોડાઈ તો ભાજપ દ્વારા તેઓને નુકશાન કરવામાં આવે છે  






Latest News