મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રેપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં કોરોનાકાળમાં લોકોને મદદરૂપ બનનાર જાણીતા ડોકટર બી.કે.લહેરૂનુ સન્માન કરાયુ


SHARE













મોરબીમાં કોરોનાકાળમાં લોકોને મદદરૂપ બનનાર જાણીતા ડોકટર બી.કે.લહેરૂનુ સન્માન કરાયુ

છેલ્લા ઘણા સમયથી કોરોનાનો કાળ ચાલી રહ્યો હોય અને તેના લીધે મોરબીમાં કાર્યરત વરિષ્ઠ નાગરિક મંડળ એટલે કે સિનિયર સિટીઝન કાઉન્સિલની મીટીંગ મળી ન હતી જેથી કરી તે સંસ્થા દ્રારા ગઇકાલે જનરલ મીટીંગનું મોરબીની મહેશ હોટલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં વ્યસક નાગરિકો હાજર રહ્યા હતા અને તેમને લગતા પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવી હતી.દરમ્યાનમાં કોરોનાના કપરા સમયમાં લોકોને મદદરૂપ બનવાની ભાવના સાથે કાર્યરત રહીને વૃદ્ધાવસ્થામાં પણ સક્રીય રીતે લોકોની મદદ કરનારા મોરબીના જાણીતા તબીબ ડો.બી.કે.લહેરૂને કાર્યક્રમ દરમ્યાન સન્માનીત કરવામાં આવ્યા હતા.

મોરબીની સિનીયર સીટીઝન કાઉન્સીલના પ્રમુખ તથા નામાંકિત તબીબ ડો.બી.કે.લહેરૂએ કોરોનાની પ્રથમ લહેરમાં કોરોનાકાળ દરમ્યાન જયારે તમામ દવાખાના બંધ હતા ત્યારે પંદર દિવસ વિનામૂલ્ય દવાઓનું વિતરણ કરેલ.જન્મ અને મૃત્યુ ઇશ્વર આધારીત છે તેમજ જંગલમાં રહેવું અને સિંહથી ડરવું તે ડરપોકની નિશાની છે.તેવા મજબુત વિચાર સાથે કોરોનાના દર્દીઓની અથાગ સેવા કરીને તેમણે માનવસેવાનુ ઉતમ ઉદાહરણ પુરૂ પાડ્યપ હતુ.જીવનમાં ગાંધીજીની જેમ સત્ય અને નિષ્ઠાથી રહેવું જોઇએ આ તબકકે સિનીયર સીટીઝન કાઉન્સીલના પૂર્વ પ્રમુખ પ્રવિણભાઇ મહેતા, મંત્રી મહેશભાઇ ભટ્ટ, એડવોકેટ જગદીશભાઇ ઓઝા, મહેશભાઇ પીંગલ, ડો.જાડેજા તથા તમામ સભ્યોએ ડો.બી.કે.લહેરૂનું હાર પહેરાવી તેમજ સાલ ઓઢાળીને અહિંના શનાળા રોડ ઉપર આવેલ મહેશ હોટલ ખાતે સન્માન કર્યુ હતુ.આ તકે સિનીયર સીટીઝન સંસ્થાના મોટાભાગના સભ્યો હાજર રહ્યા હતા.






Latest News