મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં કોરોનાકાળમાં લોકોને મદદરૂપ બનનાર જાણીતા ડોકટર બી.કે.લહેરૂનુ સન્માન કરાયુ


SHARE











મોરબીમાં કોરોનાકાળમાં લોકોને મદદરૂપ બનનાર જાણીતા ડોકટર બી.કે.લહેરૂનુ સન્માન કરાયુ

છેલ્લા ઘણા સમયથી કોરોનાનો કાળ ચાલી રહ્યો હોય અને તેના લીધે મોરબીમાં કાર્યરત વરિષ્ઠ નાગરિક મંડળ એટલે કે સિનિયર સિટીઝન કાઉન્સિલની મીટીંગ મળી ન હતી જેથી કરી તે સંસ્થા દ્રારા ગઇકાલે જનરલ મીટીંગનું મોરબીની મહેશ હોટલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં વ્યસક નાગરિકો હાજર રહ્યા હતા અને તેમને લગતા પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવી હતી.દરમ્યાનમાં કોરોનાના કપરા સમયમાં લોકોને મદદરૂપ બનવાની ભાવના સાથે કાર્યરત રહીને વૃદ્ધાવસ્થામાં પણ સક્રીય રીતે લોકોની મદદ કરનારા મોરબીના જાણીતા તબીબ ડો.બી.કે.લહેરૂને કાર્યક્રમ દરમ્યાન સન્માનીત કરવામાં આવ્યા હતા.

મોરબીની સિનીયર સીટીઝન કાઉન્સીલના પ્રમુખ તથા નામાંકિત તબીબ ડો.બી.કે.લહેરૂએ કોરોનાની પ્રથમ લહેરમાં કોરોનાકાળ દરમ્યાન જયારે તમામ દવાખાના બંધ હતા ત્યારે પંદર દિવસ વિનામૂલ્ય દવાઓનું વિતરણ કરેલ.જન્મ અને મૃત્યુ ઇશ્વર આધારીત છે તેમજ જંગલમાં રહેવું અને સિંહથી ડરવું તે ડરપોકની નિશાની છે.તેવા મજબુત વિચાર સાથે કોરોનાના દર્દીઓની અથાગ સેવા કરીને તેમણે માનવસેવાનુ ઉતમ ઉદાહરણ પુરૂ પાડ્યપ હતુ.જીવનમાં ગાંધીજીની જેમ સત્ય અને નિષ્ઠાથી રહેવું જોઇએ આ તબકકે સિનીયર સીટીઝન કાઉન્સીલના પૂર્વ પ્રમુખ પ્રવિણભાઇ મહેતા, મંત્રી મહેશભાઇ ભટ્ટ, એડવોકેટ જગદીશભાઇ ઓઝા, મહેશભાઇ પીંગલ, ડો.જાડેજા તથા તમામ સભ્યોએ ડો.બી.કે.લહેરૂનું હાર પહેરાવી તેમજ સાલ ઓઢાળીને અહિંના શનાળા રોડ ઉપર આવેલ મહેશ હોટલ ખાતે સન્માન કર્યુ હતુ.આ તકે સિનીયર સીટીઝન સંસ્થાના મોટાભાગના સભ્યો હાજર રહ્યા હતા.






Latest News