મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

ગરવી ગુજરાત પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નટવરસિંહે મોરબી જીલ્લાની મુલાકાત લીધી


SHARE











ગરવી ગુજરાત પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નટવરસિંહે મોરબી જીલ્લાની મુલાકાત લીધી

ગરવી ગુજરાત પાર્ટી દ્વારા જન સ્વાભિમાન મુલાકાત હેઠળ ગરવી ગુજરાત પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નટવરસિંહ મોરબી જિલ્લા માં આવી પહોંચ્યા.જેમાં ગરવી ગુજરાત પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી નટવરસિંહ ઠાકોર તથા પ્રદેશ ની ટીમ સાથે રહીને અનેક જિલ્લાઓમાં જન સ્વાભિમાન મુલાકાત કરવામાં આવી.સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી જયેશ સોમાણી, પ્રદેશની ટીમમાં શંકરજી વનાજી ઠાકોર, ભૂપતસિંહ ઠાકોર, નરેન્દ્રસિંહ ઝાલા વગેરે પ્રદેશની ટીમ પણ હાજર રહ્યા હતા.

ગરવી ગુજરાત પાર્ટી દ્વારા જન સ્વાભિમાન મુલાકાત અંતર્ગત   મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં  આણંદપર ગામે મિટિંગ કરવા માં આવી હતી. અને નવા હોદ્દદારોની નિમણૂંક કરવામાં આવી તથા જેમાં વાંકાનેર તાલુકા પ્રમુખ તરીકે જયંતીભાઈ ઉઘરેજા , વાંકાનેર તાલુકા ઉપપ્રમુખ ચંદુભાઈ કુકાવા ની નિમણુંક કરવામાં આવી.  અને રફાળેશ્વર ના વેલનાથપરા ની જન સ્વાભિમાન મુલાકાત કરવા માં આવી હતી. ત્યાં ની જનતા ની વાસ્તવિક પરિસ્થિતિ જાણી. ગરવી ગુજરાત પાર્ટી દ્વારા સંગઠનની સમીક્ષા તથા સંગઠનને વધુ મજબૂત કરવા અને આવનારી ચૂંટણી-૨૦૨૨ માં વિધાનસભાની સીટ લડવા માટેની ચર્ચા કરવામાં આવી હતી.






Latest News