મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના ધિયાવડમાં પરિણીતાના આપઘાત કેસમાં પતિ સહિત ચાર સામે ફરિયાદ


SHARE













વાંકાનેરના ધિયાવડમાં પરિણીતાના આપઘાત કેસમાં પતિ સહિત ચાર સામે ફરિયાદ

વાંકાનેર તાલુકાના ધિયાવડ ગામે પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી હતી. આ બનાવમાં મૃતક મહિલાના ભાઈએ તેના બનેવી સહિત ચાર સામે ફરિયાદ નોંધવાતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી તમારે વાંકાનેર તાલુકાના ધિયાવડ ગામે રહેતા સામતભાઈ બાવળીયાના પત્ની મનિષાબેન (૨૦) એ પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા આ બનાવની હોસ્પિટલમાંથી વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાના લગ્નનો બે વર્ષનો છે અને તેને સંતાનમાં એક વર્ષની દીકરી હોવાનું જાણવા મળેલ છે હાલમાં આ બનાવમાં મૃતક મહિલાના ભાઈ હર્ષદભાઇ ચકુભાઇ થોરીયા જાતે કોળી (ઉ.૨૪) રહે. ઘીયાવડ વાળાએ તેના બનેવી સામત બુટાભાઇ બાવરીયા જાતે કોળી, તેની બહેનના દિયર ચોથાભાઇ બુટાભાઇ બાવરીયા, સસરા બુટાભાઇ દેવાભાઇ બાવરીયા અને સાસુ ધકુબેન બુટાભાઇ બાવરીયા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને લખાવ્યું છે કે, ઘરકામની નાની નાની બાબતોમાં મેણાટોણા મારી દુખત્રાસ આપતા હતા અને તેની બહેનને મરવા માટે મજબુર કરી હોવાથી તેને ઝેરી દવા પી લઈને આપઘાત કરેલ છે હાલમાં પોલીસે મૃતકના પતિ સહિત ચારની સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News