મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રેપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની ફરતે રીંગ રોડ, મચ્છુ નદી ઉપર ચાર બેઠા પુલ કરવા વિહિપના આગેવાનની સીએમને સૂચન


SHARE













મોરબીની ફરતે રીંગ રોડ, મચ્છુ નદી ઉપર ચાર બેઠા પુલ કરવા વિહિપના આગેવાનની સીએમને સૂચન

મોરબીમાં ટ્રાફીક સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે ટ્રાફીક સમસ્યા ઉકેલવા માટે મોરબીના સામાજીક કાર્યકર અને વિહિપના આગેવાનસીએમને રજુઆત કરી છે અને મોરબી ફરતે રીંગ રોડ, મચ્છુ નદી ઉપર ચાર નવા બેઠા પુલ બનાવવા માટે સૂચન કર્યું છે

મોરબીમાં રહેતા સામાજીક કાર્યકર અને વિહિપના આગેવાન હસમુખભાઈ ગઢવીટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે સીએમને રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના ઔદ્યોગીક વિકાસને ધ્યાને રાખીને ફરતે રીંગ રોડ બને તો ભારે વાહનોને શહેરમાં આવવાનું જ ન રહે અને બારોબાર તેની નીકળી જશે આવી જ રીતે મચ્છુ નદી ઉપર ચાર સ્થળે બેઠા પુલ કરવામાં આવે તો લોકોની સુખાકારીમાં વધારો થાય તેમ છે જેમાં જુના સ્મશાનથી ઉમા ટાઉનશીપ, કાલીકા ઘાટથી મહાપ્રભુજીની બેઠક, રામઘાટથી સામાકાંઠે ન્યુ પેલેસ રોડ અને ભડીયાદ રોડથી લીલાપર રોડનો સમાવેશ થાય છે અને નગરપાલીકા-જીલ્લા પંચાયત હસ્તકનાં રોડ-રસ્તાના પ્રોજેકટ વહેલી તકે પૂરા કરવા તેમજ નટરાજ ફાટક, ઉમીયા સર્કલ, કુબેરનગર પાસે નવલખી ફાટક પાસે ઓવરબ્રીજ બનાવાની પણ માંગ કરી છે.

મોરબીથી જેત૫૨ અને મોરબીથી હળવદ ફોરલેનનું કામ મંજૂર કરી દેવામાં આવ્યું છે જો કે, આ કામ વહેલી તકે ચાલુ થાય, છેલ્લા ઘણા વર્ષોથી જુના ઓવરબ્રીજનાં કામ ચાલે છે તે વહેલી તકે પૂરા કરવામાં આવે, ગામોને જોડતાં ગાડા માર્ગ વહેલી તકે આર.સી.સી. બનાવવાનું પણ સૂચન કર્યું છે મોરબીથી રાજય સરકારને ટેકસ બહોળા પ્રમાણમાં આપવામ આવે છે. ત્યારે લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે વહેલી તકે હાલમાં કરવામાં આવેલ સૂચનનું અમલીકરણ કરવામાં આવે તે જરૂરી છે 






Latest News