મોરબી તાલુકામાં ડ્રોનથી ખેતરમાં દવાના છંટકાવ !
SHARE








મોરબી તાલુકામાં ડ્રોનથી ખેતરમાં દવાના છંટકાવ !
કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેતીમાં વધુમાં વધુ ટેક્નોલીજીનો ઉપયોગ કરીને ઓઢી મહેનતે ખેડૂતો સારી આવક કરી શકે તેના માટે સંશોધન કરવામાં આવતા હોય છે ત્યારે આગામી દિવસોમાં ડ્રોનની મદદથી ખેતરમાં દવાનો છંટકાવ કરી શકયા તે માટે મોરબી તાલુકામાં ડ્રોનથી ખેતીના પાકમાં દવાના છંટકાવનું નિદર્શન કરવામાં આવ્યું હતું
મોરબીમાં આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગરુંડા કંપની ચેન્નઈ દ્વારા ડ્રોનથી ખેતીમાં દવાનો છટકાવ કઈ રીતે કરી શકાય તેનું નિદર્શન રાખવામા આવ્યું હતું ત્યારે મોરબી અને વાંકાનેર તાલુકાના ખેડૂતો ત્યાં હાજર રહ્યા હતા અને ડ્રોનથી ખેતી પાકમાં દવાનો છટકાવ કેવી રીતે કરી શકાય તેની માહિતી કેન્દ્રના વૈજ્ઞાનિક ડો. જીવાણી તથા ડી.એ. સરડવાએ આપી હતી અને હેતલબેન મણવાર સહિતના સ્ટાફે કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી અત્રે ઉલેખનીય છે કે, સામાન્ય રીતે ખેડૂતોને પોતાની ખેતીમાં દવા છટકાવ કરવામાં ઘણી તકલીફ સહન કરવી પડે છે જો કે, ડ્રોનથી દવા છાંટવામાં આવે તો ખેડૂતોને ઝેરી અસર સહિતની પીડામાથી મુક્તિ મળે તેમ છે

