મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બ્રહ્મસમાજ કા રાજદુલારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન


SHARE













વાંકાનેરમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બ્રહ્મસમાજ કા રાજદુલારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન

વાંકાનેર ખાતે સમસ્ત બ્રહ્મસમાજ આયોજિત બ્રહ્મસમાજ કા રાજદુલારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિત્યક્રમ મુજબ સાંજે ૮-૦૦ વાગ્યે સંધ્યા મહા આરતીમા ભૂદેવો સાથે ધાર્મિક, સામાજિક,રાજકીય આગેવાનો  ઉપસ્થિત રહે છે. દરરોજ સાંજે મહા આરતી બાદ ગણેશદાદાને  પ્રિય પ્રસાદ એવા મોદકનો પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. સાથે રાસ ગરબા પણ યોજાઇ છે

શહેરના ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલ, રુગનાથજી મંદિરના રેવાદાસ બાપૂ, ફળેશ્વર મંદિરના મહંત વિશાલભાઈ પટેલબાપુ, રાજગુરુ નાગાબાવાજી મંદિરના પૂજારી જગદીશબાપુ સહિતના મંદિરના મહંતો તેમજ વાકાનેર રાજવી પરિવારના  મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલા, મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનોના ભુપતભાઈ પંડ્યા, મુકેશભાઈ રાજ્યગુરુ, ચિંતનભાઈ ભટ્ટ, એન.એન.ભટ્ટ, વાકાનેર સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનો રજનીભાઇ રાવલ, સુરેશભાઈ ભટ્ટ, અમરસીભાઈ મઢવી, મહેન્દ્રભાઈ આચાર્ય, દીપકભાઈ ઠાકર, કિશનભાઇ ભટ્ટ, પુસ્કરભાઈ ત્રિવેદી, રાજુભાઈ રાવલ, જયેશભાઈ ઓઝા સહિતના ભૂદેવો હાજર રહ્યા હતા. અને મહાઆરતી બાદ ઉપસ્થિત મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલા તથા ઉપસ્થિત સંતો મહંતો તથા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનોનું સાલ તથા ફૂલહારથી સન્માન કરાયું હતું. આ આયોજનને સફળ બનાવવા માટે બ્રહ્મસમાજ કા રાજદુલારા ગણેશ મહોત્સવ સમિતિના ભરતભાઈ ઓઝા, બાબુભાઈ રાજગોર, રાજુભાઈ મઢવી, પ્રવીણભાઈ દાદર, અમિતભાઈ ભટ્ટ, પ્રિયંક રાવલ , દુષ્યંત ઠાકર,યોગેશ પંડયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.




Latest News