મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કુંભારપરા રામદેવપીર મંદિરનો અગિયારમો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો


SHARE







વાંકાનેરમાં કુંભારપરા રામદેવપીર મંદિરનો અગિયારમો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેર શહેરનાં કુંભારપરા વિસ્તાર ખાતે આવેલ રામદેવપીર મંદિરનાં અગિયારમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ધાર્મિક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વાંકાનેરનાં રાજવી ખાસ હાજર રહ્યા હતાં.

રામદેવપીર મંદિરનાં અગિયારમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે નેજા ચડાવવાની વિધિ, આરતી, મહાપ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં જેમાં વાંકાનેર રાજવી કેસરીદેવસિંહ ઝાલા ખાસ હાજર રહ્યા હતાં ઉપરાંત સમસ્ત બ્રહ્મસમાજ અગ્રણી ભરતભાઈ ઓઝા, અમરસિંહભાઈ મઢવી, અમિતભાઈ મઢવી, ક્રિપાલસિંહ ઝાલા હાજર રહ્યા હતાં અને મંદિરનાં પૂજારી જદુરામ મહારાજનાં હસ્તે મુખ્ય આરતી કરવામાં આવી હતી ત્યારે બહોળી સંખ્યામાં ભાવિકોએ સોશ્યલ ડિસ્ટન્સ સાથે હાજર રહ્યા હતા અને પ્રસાદ લાભ લીધો હતો આ કાર્યક્ર્મને સફળ બનાવવા રામા મંડળ પ્રમુખ નાનુભાઈ ઉઘરેજા, સોમાભાઈ રાઠોડ, રમેશભાઈ રબારી, ભીખાભાઈ સારલા સહિત વિસ્તારનાં સમસ્ત કુંભારપરા મિત્ર મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News