મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના પ્રતાપગઢ ગામે વાડીના કૂવામાથી યુવાનની કોહવાયેલ હાલતમાં લાશ મળી


SHARE











વાંકાનેરના પ્રતાપગઢ ગામે વાડીના કૂવામાથી યુવાનની કોહવાયેલ હાલતમાં લાશ મળી

વાંકાનેર તાલુકાના પ્રતાપ ગઢ ગામે રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો યુવાન બે થી ત્રણ દિવસ પહેલા કોઈ કારણોસર કૂવામાં પડી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું માટે તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાડીના માલિકે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ઇન્ડવાન ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે ઉસ્માનભાઇ અમીભાઇ કડીવારની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા છીતુસીંગ કાલુભાઇ અજનાર (ઉવ.૩૫) કોઈ કારણોસર માટે વાડીએ આવેલ કૂવામાં પડી ગયા હતા જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને તેની બોડી પણ કોહવાઈ ગઈ હતી જેથી તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના બનાવની વાડીના માલિક ઉસ્માનભાઇ અમીભાઇ કડીવારે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે આ બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News