મોરબી મહાનગરપાલિકાના ફાયર કાફલામાં મિની ફાયર ટેન્ડરનો ઉમેરો થયો ઐતિહાસિક વિરાસત: મોરબીની એલ.ઈ. કોલેજ પાસે ₹81.30 લાખના ખર્ચે ગાર્ડનનું નિર્માણ થશે મોરબીના શનાળા ગામે મુકાયેલા નવા સ્પીડ બ્રેકરના વિરોધમાં ગ્રામજનોએ કર્યો ચક્કાજામ મોરબી મહાનગરપાલિકા દ્વારા સેવાસેતુ 2.0 કાર્યક્રમ યોજાયો: અરજદારોના પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા નવી એનિમલ હોસ્ટેલ બનાવાનું આયોજન મોરબીમાં જુદીજુદી જગ્યાએથી પાણીપુરીનું પાણી અને જુદાજુદા શાકના નમૂના મનપાના ફૂડ વિભાગે લીધા મોરબી વાસ્મો દ્વારા મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લામાં વંદે માતરમ્ @ ૧૫૦ ની ઉજવણી અન્વયે ૨૩ થી ૩૧ માર્ચ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના ખોડીયાર આશ્રમ પાસે ચેકડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE











ટંકારાના ખોડીયાર આશ્રમ પાસે ચેકડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત

ટંકારા નજીક આવેલ ખોડીયાર આશ્રમ પાસેથી પસાર થતી નદીના ચેકડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની જાણ ટંકારા પોલીસને કરવામાં આવી હતી અને યુવાનના મૃતદેહને ટંકારા હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો હાલમાં પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના ટંકારા નજીક આવેલ ખોડીયાર આશ્રમ પાસેથી પસાર થતી જીજવા નદીના ચેકડેમમાં શંકરભાઈ દિયાભાઈ ભીલવાડ જાતે આદિવાસી (ઉંમર વર્ષ ૨૩) રહે હાલ બાબુભાઈની વાડી વાળો પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવની મૃતકના ભાઈ સુનિલભાઈ ભીલવાડએ ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને મૃતકના મૃતદેહને પીએમ માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો અને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News