મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં ટ્રાફિક સિગ્નલો મુકવાની શહેરીજનોની માંગ


SHARE











મોરબી શહેરમાં ટ્રાફિક સિગ્નલો મુકવાની શહેરીજનોની માંગ

મોરબી શહેર દિન પ્રતિદિન વિકાસ કરી રહ્યું છે ત્યારે શહેરમાં ટ્રાફિક સમસ્યા એ આમ બાબત બની ગઈ છે.નવા બનતા બીલ્ડીંગોમાં પાર્કીંગ-માર્જીન છોડયા વિના જ સો ટકા બાંધકામ કરાતા હોય અને જેની જવાબદારી છે તે નગર પાલીકા દ્રારા છેલ્લા વર્ષોમાં અસરકારક કામગીરી ન કરાતી હોવાના લીધે આજે ટ્રાફિક પોલીસ ઉપર પણ કામનું ભારણ વધી રહ્યું છે માટે ટ્રાફિક પોલીસનું કામનું ભારણ ઓછું કરવા અને શહેરીજનોમાં પણ ટ્રાફીક અંગે જાગૃતતા આવે તે માટે શહેર તેમજ આસપાસના હાઇવે નજીક ટ્રાફીક સિગ્નલો મુકવા જરૂરી છે.

મોરબી શહેરમાં મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક સિગ્નલો મુકવાની પ્રબુધ્ધ નાગરીકો દ્રારા માંગ કરવામાં આવેલ છે.મોરબી નગરપાલિકા દ્રારા લાખો-કરોડોનો ખર્ચ કરવા છતાં નાગરીકોને પાયાની સવલતો મળતી નથી કે હકીકત છે.શહેરમાં ચાર રસ્તાઓ ઉપર કયાંય ટ્રાફીક સિગ્નલો કે રોડ-રસ્તો કઇ તરફ જાઇ છે તે દર્શાવતા સાઇન બોર્ડ લગાવાયા નથી અને સંસ્થાઓએ લગાવી આપેલ આવા બોર્ડની જાળવણીના અભાવે અતોપતો જડતો નથી. લોકહિત ખાતર અધીકારીઓ તેમજ પદાધીકારીઓ દ્રારા આ બાબતે યોગ્ય કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.જોકે નજીવા વરસાદમાં જ મોરબીના સીટી વિસ્તારના રોડ-રસ્તાઓનો કચ્ચરઘાણ નીકળી ગયો છે તે રીતે જ હાઈવેની હાલત પણ તેવી જ છે તે ઉપરાંત નવા બનેલા માળીયા ફાટક ઓવરબ્રિજ અને હાઇવે ઉપરના સર્વિસ રોડમાં પણ ભારે મોટા ગાબડા પડી ગયા છે ત્યારે આ બાબતને લઇને તંત્રને શર્મ આવતી હોય કે ન આવતી હોય પણ માંગ કરવામાં લોકો શર્મ અનુભવી રહ્યા છેકે જયાં રોડ-રસ્તાના જ ઠેકાણા નથી ત્યાં ટ્રાફિક સિગ્નલ કે સાઇન બોર્ડની માંગ કયાં કરવી..! વરસાદ બાદ હવે કેટલા સમયમાં નવા રોડ બને છે અને કયારે ટ્રાફિક સિગ્નલો લાગે છે તે જોવું રહ્યુ.અરસપરસ ખો દેવાની વૃતિને લીધે જ આજે મોરબી રહેવા યોગ્ય નથી રહ્યુ નથી તે હકીકત છે.
 






Latest News