મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા યદુવંશી આહીરાણી સંગઠન દ્વારા લોકહિતાર્થે પાણીના પરબનું ઉદ્ઘાટન


SHARE

















મોરબી જિલ્લા યદુવંશી આહીરાણી સંગઠન દ્વારા લોકહિતાર્થે પાણીના પરબનું ઉદ્ઘાટન

મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય છે.આ સમગ્ર વિસ્તારનું કેન્દ્ર બિંદુ અને વાહનોનો ખાસ કરીને એસટીનો મુખ્ય સ્ટોપ એટલે હાઉસિંગ બોર્ડ મહારાણા પ્રતાપ ચોક.અહીંના મુસાફરોના સ્ટેન્ડમાં દિવસ રાત દરમિયાન હજારો મુસાફરોની હેરફેર થતી રહે છે. કાળજાળ ઉનાળાના તાપ-ગરમીમાં લોકોને પીવાનું ઠંડુ પાણી વિનામૂલ્યે મળી રહે તે ઉદ્દેશથી ૨૧ એપ્રિલના રોજ અહીં પાણીના પરબનું લોકાર્પણ કરવામાં આવેલ છે.

હમણાં જ રચાયેલી સંસ્થા 'મોરબી જિલ્લા યદુવંશી આહીરાણી સંગઠન' દ્વારા લોકહિતાર્થે આ પાણીના પરબનું ઉદ્ઘાટન હાઉસિંગ બોર્ડ, મુસાફર સ્ટેન્ડ ખાતે કરવામાં આવેલ.આ સંસ્થાએ આ સેવા કાર્યથી પોતાની પ્રવૃત્તિના શ્રી ગણેશ કરેલ છે.આ ઉદઘાટન સમારંભમાં રામબાઈમાઁની જગ્યા વવાણીયાના પ્રમુખ જશુભાઈ રાઠોડ, મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ ખાસ ઉપસ્થિત રહેલ.મોરબી જિલ્લા યદુવંશી આહીરાણી સંગઠનના પ્રમુખ કલ્પનાબેન જલુ, ઉપપ્રમુખ ડો.હર્ષાબેન મોર, સહમંત્રી પ્રો.શિલ્પાબેન રાઠોડ અને નીતાબેન હુંબલ, ખજાનચી ભારતીબેન વારોતરીયા તથા સંગઠનના કાર્યકાર બહેનો ઉપસ્થિત રહેલ.માનવ સેવાના આ કાર્યનું સુચારું આયોજન સંગઠન દ્વારા અગાઉથી કરવામાં આવેલ.આ સેવાકાર્ય હવે પછી યોગ્ય રીતે ચાલતું રહે તે માટેની વ્યવસ્થા પણ સંગઠન દ્વારા કરવામાં આવેલ છે.આ વિસ્તારના લોકો ખાસ કરીને મુસાફરોને અને એમાં પણ સામાન્ય વર્ગના લોકો માટે આ સેવા આશીર્વાદરૂપ ગણાશે.




Latest News