મોરબી મહાસંઘ દ્વારા વસ્તી ગણતરીની કામગીરી કરતાં શિક્ષકોને ઓન ડ્યુટી આપવા વિવિધ કક્ષાએ રજુઆત મોરબી મહાપાલિકા ખાતે યોજાયેલ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ-વહીવટી પારદર્શિતા ઉપર મેયરે ભાર મૂક્યો મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૯ જૂને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના: મોરબી જીલ્લામાં ત્રણ મહિનામાં ૬.૫ કરોડની સહાય મંજૂર મોરબીના યુવાને ૨૬ મી વખત રક્તદાન કરીને માનવતા મહેકાવી ટંકારાના વિરપર ગામના સ્વ. જયેશભાઈ નથુભાઈ મુંદડિયાની માસિક પુણ્યતિથિ સેવાકાર્યની સરવાણી મોરબીમાં વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યારત્ન અભિવાદન સમારોહ યોજાયો મોરબી તાલુકા પંચાયતના વિપક્ષના નેતા તરીકે અલ્પેશભાઈ કોઠીયાની વરણી
Breaking news
Morbi Today

મોરબીના બેલા (રં) ગામે મેલડી માતાજીના મંદિરે નવરંગા માંડવાનું આયોજન: થાનગઢ જોગ આશ્રમે સંતવાણીનુ આયોજન


SHARE











મોરબીના બેલા (રં) ગામે મેલડી માતાજીના મંદિરે નવરંગા માંડવાનું આયોજન: થાનગઢ જોગ આશ્રમે સંતવાણીનુ આયોજન

મોરબીના બેલા (રંગપર) ગામે આગામી તા. ૨૧ ને મંગળવારના રોજ ભગાબાપાની પાવડીયારી મેલડી માતાજીના મંદિરે નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલેખનીય છે કે, ધનાભાઈ ભગાભાઈ રબારી, શૈલેષભાઈ ધનાભાઈ રબારી અને મનસુખભાઈ ધનાભાઈ રબારી દ્વારા મેલડી માતાજીનો નવરંગો માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંતો મહંતો સહિતના હાજર રહેવાના છે આ પ્રસંગે તા. ૨૧ ના રોજ સવારે ૬ વાગ્યે યજ્ઞનો પ્રારંભ થશે અને બપોરે ૨:૩૦ વાગ્યે યજ્ઞની પુર્ણાહુતિ થશે. ત્યાર બાદ સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને સાંજે ૬ વાગ્યા પછી પટેલ સમાજ વાડીની સામે પંચવટી ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. અને રાત્રે ૯:૦૦ વાગ્યે ડાકલાનો કાર્યક્રમ રાખેલ છે જેમાં કલાકાર ભરતભાઈ કુંઢીયા અને તેની ટિમ જમાવટ કરશે

જોગ આશ્રમ થાનગઢ
થાનગઢ જોગ આશ્રમ થાનગઢ મુકામે જોગ આશ્રમ ટ્રસ્ટ દ્વારા આયોજીત ગુરુદેવ જોગબાપુની ૪૭ મી નિર્વાણ તિથી નિમિતે ભવ્યાતિભવ્ય સંતવાણીનુ આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા.૧૮/૫/૨૦૨૪ ની રાત્રે ૯:૩૦ કલાકે રાખેલ છે જેથી કરીને ભજનાનંદિ ભાવિકોને આવવા માટે જોગ આશ્રમ ટ્રસ્ટ દ્વારા નિમંત્રણ આપવામાં આવેલ છે અને આ સંતવાણીનો સંપૂર્ણ કાર્યક્રમ  youtube channel શ્રી આલ્બમથી  લાઈવ બતાવામા આવશે તેવું પણ આયોજકોએ જણાવ્યુ છે






Latest News