મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના બેલા (રં) ગામે મેલડી માતાજીના મંદિરે નવરંગા માંડવાનું આયોજન: થાનગઢ જોગ આશ્રમે સંતવાણીનુ આયોજન


SHARE













મોરબીના બેલા (રં) ગામે મેલડી માતાજીના મંદિરે નવરંગા માંડવાનું આયોજન: થાનગઢ જોગ આશ્રમે સંતવાણીનુ આયોજન

મોરબીના બેલા (રંગપર) ગામે આગામી તા. ૨૧ ને મંગળવારના રોજ ભગાબાપાની પાવડીયારી મેલડી માતાજીના મંદિરે નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલેખનીય છે કે, ધનાભાઈ ભગાભાઈ રબારી, શૈલેષભાઈ ધનાભાઈ રબારી અને મનસુખભાઈ ધનાભાઈ રબારી દ્વારા મેલડી માતાજીનો નવરંગો માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંતો મહંતો સહિતના હાજર રહેવાના છે આ પ્રસંગે તા. ૨૧ ના રોજ સવારે ૬ વાગ્યે યજ્ઞનો પ્રારંભ થશે અને બપોરે ૨:૩૦ વાગ્યે યજ્ઞની પુર્ણાહુતિ થશે. ત્યાર બાદ સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને સાંજે ૬ વાગ્યા પછી પટેલ સમાજ વાડીની સામે પંચવટી ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. અને રાત્રે ૯:૦૦ વાગ્યે ડાકલાનો કાર્યક્રમ રાખેલ છે જેમાં કલાકાર ભરતભાઈ કુંઢીયા અને તેની ટિમ જમાવટ કરશે

જોગ આશ્રમ થાનગઢ
થાનગઢ જોગ આશ્રમ થાનગઢ મુકામે જોગ આશ્રમ ટ્રસ્ટ દ્વારા આયોજીત ગુરુદેવ જોગબાપુની ૪૭ મી નિર્વાણ તિથી નિમિતે ભવ્યાતિભવ્ય સંતવાણીનુ આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા.૧૮/૫/૨૦૨૪ ની રાત્રે ૯:૩૦ કલાકે રાખેલ છે જેથી કરીને ભજનાનંદિ ભાવિકોને આવવા માટે જોગ આશ્રમ ટ્રસ્ટ દ્વારા નિમંત્રણ આપવામાં આવેલ છે અને આ સંતવાણીનો સંપૂર્ણ કાર્યક્રમ  youtube channel શ્રી આલ્બમથી  લાઈવ બતાવામા આવશે તેવું પણ આયોજકોએ જણાવ્યુ છે






Latest News