મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના મીઠા ઉદ્યોગમાં થયેલ નુકશાન સામે વળતર સત્વરે આપવામાં આવે તે માટે પૂર્વ મંત્રીએ કરી મીઠા ઉદ્યોગ મંત્રીને રજૂઆત


SHARE









મોરબી જીલ્લાના મીઠા ઉદ્યોગમાં થયેલ નુકશાન સામે વળતર સત્વરે આપવામાં આવે તે માટે પૂર્વ મંત્રીએ કરી મીઠા ઉદ્યોગ મંત્રીને રજૂઆત

તાજેતરમાં ગુજરાતનાં અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થવાને કારણે ખેતીની જમીન અને માલ મિલ્કતને ભારે મોટું નુકશાન થયું છે. તે અન્વયે અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને વળતર ચૂકવવા અંગેની પ્રાથમિક સર્વેની કામગીરી ગુજરાત સરકારે હાથ ધરી છે તે આવકારવા દાયક છે.

અતિવૃષ્ટિમાં મોરબી - માળીયા (મીં) વિસ્તારમાં પણ નુકશાન થયું છે. તેમાં ખાસ કરીને માળીયા (મીં) તાલુકાનાં રણકાંઠે આવેલ મીઠા ઉધ્યોગને આ અતિવૃષ્ટિ અને મચ્છુ નદીમાં આવેલ પૂરને કારણે કલ્પના બહારનું નુકશાન વેઠવું પડયું છે. તે અંગે મરીન સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશન મોરબીના પ્રમુખ દિલાવરસિંહજી જાડેજાએ કરેલ રજૂઆત કરી હતી તેને સાથે રાખીને પૂર્વ મંત્રીએ રાજ્યના મીઠા ઉદ્યોગના મંત્રી જગદીશ વિશ્વકર્માને લેખતીમાં રજૂઆત કરેલ છે.

હાલમાં પૂર્વ મંત્રીએ જે ભલામણ કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, મીઠા ઉધ્યોગમાં ભારે મોટું ધોવાણ થયેલ છે. મીઠાના ઉત્પાદન લેવા માટે કરવામાં આવેલ ક્યારાઓ અને બાંધેલ પાળા ઉપર પાણી ફરી વળવાથી ધોવાણ થયેલ છે. તદ્દઉપરાંત ઇલેક્ટ્રીક અને મિકેનિકલ સાધન સરઅંજામને પણ નુકશાન થયેલ છે. મીઠા ઉત્પાદનના સ્થળે ઊભા કરાયેલા શેડ પણ તૂટી ગયેલ છે. આમ, એકંદરે મીઠા ઉધ્યોગ માટે ભારે મોટી આર્થિક ખુવારી વેઠવાનો વારો આવ્યો છે.

તે જોતાં આ નુકશાની સામે મીઠા ઉદ્યોગને તેમજ અગરીયાઓને આર્થિક વળતર મળી રહે તે માટે તાત્કાલિક જરૂરી સર્વેની કામગીરી પૂર્ણ કરાવી યોગ્ય પેકેજ ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવે તેવી મારી લાગણી અને માંગણી છે. મરીન સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશનના પ્રમુખ દિલાવરસિંહજી જાડેજા એક ઉમદા વ્યક્તિ છે. તેમના પિતા ઉદયસિંહજી જાડેજાએ હંમેશા રણકાંઠાના લોકોને આફતની વેળાએ આર્થિક રીતે સહાય કરીને પડખે ઊભા રહેવાની માનવીય ખેવના પ્રસોંગોપાત કરી છે. તેમના દીકરામાં પણ આ ગુણ જોવા મળે છે.

આ વિસ્તારના એક લોક પ્રતિનિધિ તરીકે જ્યારે જ્યારે સરકારને અતિવૃષ્ટિ, વાવજોડું કે અન્ય પૂરની સ્થિતિમાં નાગરિકોને સ્થળાંતર કરવાથી માંડીને તેમના રહેવા, જમવા સુધીની વ્યવસ્થામાં આ દિલાવરસિંહજી જાડેજા અને તેની ટીમ હંમેશા ખડેપગે ઊભી રહી છે તેનો મને અંગે મોરબીના સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રને અનુભવ છે. તે જોતાં આવા કર્મનિષ્ઠ મીઠા વ્યવસાય સાથે સંકળાયેલ ઉધ્યોગકારની આ લાગણી મુજબ જરૂરી વળતર સત્વરે મળે તેમ કરાવવા વધુમાં વિનંતી છે.






Latest News