મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ખડપીઠ પાસે ઘાસચારો નાખવાનો બંધ કરાવતા ગૌવંશ માટે ઘાસચારો નાખવાની જગ્યા નિશ્ચિત કરવા કોંગ્રેસની માંગ


SHARE













મોરબીમાં ખડપીઠ પાસે ઘાસચારો નાખવાનો બંધ કરાવતા ગૌવંશ માટે ઘાસચારો નાખવાની જગ્યા નિશ્ચિત કરવા કોંગ્રેસની માંગ

મોરબીના લીલાપર રોડ ઉપર જેલથી આગળના ભાગમાં ખડપીઠ પાસે રજડતી ગાય અને ગૌવંશને ઘાસચારો નાખવામાં આવે છે જોકે, નગરપાલિકા દ્વારા ત્યાં ઘાસચારો નાખવા માટેની વ્યવસ્થા બંધ કરવામાં આવી છે. જેથી ત્યાં રજડતા ગૌવંશો ભૂખ્યા હતા જેથી ત્યાં ઘાસચારો નાખવા માટે જે લોકો આવે છે તેમની દ્વારા અધિકારી અને પદાધિકારીઓને વિનંતી કરીને ત્યાં ગાયોને ઘંસચારો આજે તો નાખવામાં આવ્યો છે પરંતુ શહેરમાં ઘાસચારો નાખવા માટે જગ્યાની  ફાળવણી કરવા માટે કોંગ્રેસના પ્રમુખ દ્વારા ચીફ ઓફિસર રજૂઆત કરવામાં આવી છે

મોરબી શહેરના દરેક વિસ્તારોની અંદર રજડતા ઢોરનો પ્રશ્ન દિવસેને દિવસે વિકરાળ બની રહ્યો છે અને અવારનવાર રજૂઆતા ઢોર યુદ્ધ ચડતા હોય છે ત્યારે લોકોને નુકસાન થાય તેમજ તેના વાહનોને નુકસાન થાય એવી ઘટનાઓ અગાઉ મોરબીમાં બની ચૂકી છે તેવામાં મોરબી નગરપાલિકા દ્વારા મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ખડપીઠ પાસે જે રજડતા ઢોર 24 કલાક અડિંગો જમાવીને ત્યાં બેસે છે જેથી કરીને આ સમસ્યા ઉકેલવા માટે થઈને નગરપાલિકા દ્વારા ત્યાં ઘાસના વાડા વાળાઓને ઘાસ ત્યાં ન નાખવા માટેની સૂચના આપવામાં આવી હતી. દરમિયાન દરરોજને ત્યાં ઘાસચારો નાખવા માટે થઈને આવતા ગૌપ્રેમીઓ દ્વારા આજે અધિકારી અને પદાધિકારીઓને વિનંતી કરીને ત્યાં ભૂખથી ગાયો અને ગૌવંશોને ઘાસચારો આપવામાં આવ્યો હતો જો કે, આ બાબતેની જાણ મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાને થતા તેમણે આ બાબતે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરેલ છે અને ખડપીઠ વિસ્તારમાં બસો જેટલા ગૌવંશો છે તેને ઘાસચારો નાખવા માટે તાત્કાલિક ધોરણે જગ્યા ફાળવવામાં આવે તેની માંગ કરી છે




Latest News