27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ
Breaking news
Morbi Today

મોરબીમાં ખડપીઠ પાસે ઘાસચારો નાખવાનો બંધ કરાવતા ગૌવંશ માટે ઘાસચારો નાખવાની જગ્યા નિશ્ચિત કરવા કોંગ્રેસની માંગ


SHARE













મોરબીમાં ખડપીઠ પાસે ઘાસચારો નાખવાનો બંધ કરાવતા ગૌવંશ માટે ઘાસચારો નાખવાની જગ્યા નિશ્ચિત કરવા કોંગ્રેસની માંગ

મોરબીના લીલાપર રોડ ઉપર જેલથી આગળના ભાગમાં ખડપીઠ પાસે રજડતી ગાય અને ગૌવંશને ઘાસચારો નાખવામાં આવે છે જોકે, નગરપાલિકા દ્વારા ત્યાં ઘાસચારો નાખવા માટેની વ્યવસ્થા બંધ કરવામાં આવી છે. જેથી ત્યાં રજડતા ગૌવંશો ભૂખ્યા હતા જેથી ત્યાં ઘાસચારો નાખવા માટે જે લોકો આવે છે તેમની દ્વારા અધિકારી અને પદાધિકારીઓને વિનંતી કરીને ત્યાં ગાયોને ઘંસચારો આજે તો નાખવામાં આવ્યો છે પરંતુ શહેરમાં ઘાસચારો નાખવા માટે જગ્યાની  ફાળવણી કરવા માટે કોંગ્રેસના પ્રમુખ દ્વારા ચીફ ઓફિસર રજૂઆત કરવામાં આવી છે

મોરબી શહેરના દરેક વિસ્તારોની અંદર રજડતા ઢોરનો પ્રશ્ન દિવસેને દિવસે વિકરાળ બની રહ્યો છે અને અવારનવાર રજૂઆતા ઢોર યુદ્ધ ચડતા હોય છે ત્યારે લોકોને નુકસાન થાય તેમજ તેના વાહનોને નુકસાન થાય એવી ઘટનાઓ અગાઉ મોરબીમાં બની ચૂકી છે તેવામાં મોરબી નગરપાલિકા દ્વારા મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ખડપીઠ પાસે જે રજડતા ઢોર 24 કલાક અડિંગો જમાવીને ત્યાં બેસે છે જેથી કરીને આ સમસ્યા ઉકેલવા માટે થઈને નગરપાલિકા દ્વારા ત્યાં ઘાસના વાડા વાળાઓને ઘાસ ત્યાં ન નાખવા માટેની સૂચના આપવામાં આવી હતી. દરમિયાન દરરોજને ત્યાં ઘાસચારો નાખવા માટે થઈને આવતા ગૌપ્રેમીઓ દ્વારા આજે અધિકારી અને પદાધિકારીઓને વિનંતી કરીને ત્યાં ભૂખથી ગાયો અને ગૌવંશોને ઘાસચારો આપવામાં આવ્યો હતો જો કે, આ બાબતેની જાણ મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાને થતા તેમણે આ બાબતે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરેલ છે અને ખડપીઠ વિસ્તારમાં બસો જેટલા ગૌવંશો છે તેને ઘાસચારો નાખવા માટે તાત્કાલિક ધોરણે જગ્યા ફાળવવામાં આવે તેની માંગ કરી છે






Latest News