મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તેમજ પુર્વ કાઉન્સીલરોએ સફાઈ કર્મયોગીઓનું કર્યુ સન્માન ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું કરાયું સન્માન: સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય અને દેશમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે નકલંક દાદા ને પ્રાર્થના કરતા રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા વાંકાનેરમાં એકટીવા ચાલકે હડફેટે લેતા બે બાળકોને ઇજા, અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર વાંકાનેરમાં યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ, બાળ કિશોરની પૂછપરછ કરાઈ હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનું મન દુઃખ રાખીને ચાર વ્યક્તિઓ ઉપર છરી અને ધોકા વડે હુમલો, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી : એસિડિક શરીર માટે કયો ખોરાક સારો ગણાય ?, રવિવારે નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે નેચરલ વસ્તુ મલશે


SHARE



























મોરબી : એસિડિક શરીર માટે કયો ખોરાક સારો ગણાય ?, રવિવારે નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે નેચરલ વસ્તુ મલશે

કયો ખોરાક એસિડિક શરીર માટે સારો તેનો જવાબ જોઈએ તો પોતાના ડોકટર પોતે ન બનવું જોઈએ.છતાં પણ હાઈ એસિડ વધતા શરીરમાં ખૂબ નુકશાન થાય છે.માટે સામે હાઈ બેઇઝ ધરાવતા ખોરાક પણ લેવા જોઇએ.

એસીડીટી સામે રક્ષણ માટે જોઇએ તો દુધ લેવું જોઇએ દૂધમાં પામીટિક અને લેક્ટિક એસિડ હોય છે છતાં પેટમાં જતા એસિડીટી મટાડે છે.છાશ એક પ્રકારના વિટામિન-સી નો સ્ત્રોત છે છતાં પણ પેટની એસિડિટી મટાડે છે.ગોળ કેજે એક વનસ્પતિજન્ય પેદાશ છે.મતલબ શેરડીમાંથી બને છે. જે પચવામાં હળવા અને શરીરમાં દાહ ઓછી કરે છે. તજ લઇ શકાય તે સ્વાદે તીખા પરંતુ પ્રકૃતિએ ઠંડા હોય છે.વરિયાળી લેવી જે હાઈ ફાઇબર અને ઠંડી પ્રકૃતિની હોઇ છે.

તે ઉપરાંત કેળા કે જે ઘણા ગુણ ધરાવે છે એમાંનો એક ગુણ દાહ ઓછો કરવાનો એટલે કે એસીડીટી મટાડવાનો છે.ઇસબગુલ લેવું તે બેઇઝીક નથી પરંતુ હાઈ ફાઇબર હોવાથી એસિડિટી મટાડે છે.તકમરિયા કે જેને હિન્દીમાં સબ્જા સિડ કહે છે.તેની પ્રકૃતિ અતિશય ઠંડી હોય છે અને એસિડિટીઈમાં ખૂબ સારા અને ઉપયોગી હોય તે લેલા જોઇએ.તેમજ તુલસીના પાંદડા કે જે તીખાશયુક્ત પરંતુ પેટમાં દાહ ઓછી કરે છે તે અને સાકર કે જે કુદરતી રીતે બનાવેલ હોય તે એસીડીટીમાં શરીરને ફાયદો કરે તેમ હોય તેનું સેવન કરવું જોઇએ.આ બધી વસ્તુઓ એકી સાથે ઉપયોગ ન કરવો.એસિડિટીને સામાન્ય રોગ ન સમજીને જરૂર લાગે તો ડોક્ટરની સલાહ લેવી જ હિતાવહ છે.

નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે મલશે 

મોરબીના શનાળા રોડ ઉમીયા સર્કલ પાસે સત્યેશ્ર્વર મહાદેવ મંદિર પાસે તા.૧૦ ને રવિવારે સવારે ૮ થી ૧ રાહત દરે વસ્તુઓનું વેચાણ થશે જેમાં દરેક જાતના ફુલ છોડના કલમી રોપા, ૨૬ પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, દરેક જાતના બીયારણ દેશી ઓસડીયા, હાથેથી ખાંડેલા પાવડર ચુર્ણ, સુધ્ધ ચોખ્ખું મધ હરડે બહેડા આમળા અરીઠા શિકાકાઈ પાવડર ચુર્ણ ધુપ અગરબત્તી, ગુગળ, કાળી માટીના રસોઈના વાસણો, હાથેથી બનાવેલ તાવડી પાટીયા, ટકાઉ મજબૂત દોરીથી ગુથેલ ચકલીના માળા રાહત ભાવે મલશે તેમજ ઓઈલ મીલમાં ઘાણીથી પીલેલ કાળા સફેદ તલની શાની (કચ્ચરીયુ) ત્થા તેલ સુધ્ધ સીંગતેલ એક વર્ષની ગેરેન્ટી વાળુ તેમજ દરેક બીમારીમા ઉપયોગી દેશી ખાંડ, સિંધાલૂણ, ગોળ, ફ્રુટ પ્રોડક્ટ્સ, સાબુ, મહેંદી મલશે તેમ સંસ્થાના પ્રમુખ વી.ડી.બાલા તેમજ મોરબીના લવજીભાઈ પ્રજાપતિએ જણાવેલ છે.આ સંસ્થા દર મહિનાના બીજા રવિવારે ખેડુત હાટ ભરે છે.કાપડની થેલી સાથે લઈને આવવુ.






Latest News