મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગેલ પોલીસનું ફૂટ પેટ્રોલીંગ મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત
Breaking news
Morbi Today

મોરબી : એસિડિક શરીર માટે કયો ખોરાક સારો ગણાય ?, રવિવારે નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે નેચરલ વસ્તુ મલશે


SHARE













મોરબી : એસિડિક શરીર માટે કયો ખોરાક સારો ગણાય ?, રવિવારે નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે નેચરલ વસ્તુ મલશે

કયો ખોરાક એસિડિક શરીર માટે સારો તેનો જવાબ જોઈએ તો પોતાના ડોકટર પોતે ન બનવું જોઈએ.છતાં પણ હાઈ એસિડ વધતા શરીરમાં ખૂબ નુકશાન થાય છે.માટે સામે હાઈ બેઇઝ ધરાવતા ખોરાક પણ લેવા જોઇએ.

એસીડીટી સામે રક્ષણ માટે જોઇએ તો દુધ લેવું જોઇએ દૂધમાં પામીટિક અને લેક્ટિક એસિડ હોય છે છતાં પેટમાં જતા એસિડીટી મટાડે છે.છાશ એક પ્રકારના વિટામિન-સી નો સ્ત્રોત છે છતાં પણ પેટની એસિડિટી મટાડે છે.ગોળ કેજે એક વનસ્પતિજન્ય પેદાશ છે.મતલબ શેરડીમાંથી બને છે. જે પચવામાં હળવા અને શરીરમાં દાહ ઓછી કરે છે. તજ લઇ શકાય તે સ્વાદે તીખા પરંતુ પ્રકૃતિએ ઠંડા હોય છે.વરિયાળી લેવી જે હાઈ ફાઇબર અને ઠંડી પ્રકૃતિની હોઇ છે.

તે ઉપરાંત કેળા કે જે ઘણા ગુણ ધરાવે છે એમાંનો એક ગુણ દાહ ઓછો કરવાનો એટલે કે એસીડીટી મટાડવાનો છે.ઇસબગુલ લેવું તે બેઇઝીક નથી પરંતુ હાઈ ફાઇબર હોવાથી એસિડિટી મટાડે છે.તકમરિયા કે જેને હિન્દીમાં સબ્જા સિડ કહે છે.તેની પ્રકૃતિ અતિશય ઠંડી હોય છે અને એસિડિટીઈમાં ખૂબ સારા અને ઉપયોગી હોય તે લેલા જોઇએ.તેમજ તુલસીના પાંદડા કે જે તીખાશયુક્ત પરંતુ પેટમાં દાહ ઓછી કરે છે તે અને સાકર કે જે કુદરતી રીતે બનાવેલ હોય તે એસીડીટીમાં શરીરને ફાયદો કરે તેમ હોય તેનું સેવન કરવું જોઇએ.આ બધી વસ્તુઓ એકી સાથે ઉપયોગ ન કરવો.એસિડિટીને સામાન્ય રોગ ન સમજીને જરૂર લાગે તો ડોક્ટરની સલાહ લેવી જ હિતાવહ છે.

નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે મલશે 

મોરબીના શનાળા રોડ ઉમીયા સર્કલ પાસે સત્યેશ્ર્વર મહાદેવ મંદિર પાસે તા.૧૦ ને રવિવારે સવારે ૮ થી ૧ રાહત દરે વસ્તુઓનું વેચાણ થશે જેમાં દરેક જાતના ફુલ છોડના કલમી રોપા, ૨૬ પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, દરેક જાતના બીયારણ દેશી ઓસડીયા, હાથેથી ખાંડેલા પાવડર ચુર્ણ, સુધ્ધ ચોખ્ખું મધ હરડે બહેડા આમળા અરીઠા શિકાકાઈ પાવડર ચુર્ણ ધુપ અગરબત્તી, ગુગળ, કાળી માટીના રસોઈના વાસણો, હાથેથી બનાવેલ તાવડી પાટીયા, ટકાઉ મજબૂત દોરીથી ગુથેલ ચકલીના માળા રાહત ભાવે મલશે તેમજ ઓઈલ મીલમાં ઘાણીથી પીલેલ કાળા સફેદ તલની શાની (કચ્ચરીયુ) ત્થા તેલ સુધ્ધ સીંગતેલ એક વર્ષની ગેરેન્ટી વાળુ તેમજ દરેક બીમારીમા ઉપયોગી દેશી ખાંડ, સિંધાલૂણ, ગોળ, ફ્રુટ પ્રોડક્ટ્સ, સાબુ, મહેંદી મલશે તેમ સંસ્થાના પ્રમુખ વી.ડી.બાલા તેમજ મોરબીના લવજીભાઈ પ્રજાપતિએ જણાવેલ છે.આ સંસ્થા દર મહિનાના બીજા રવિવારે ખેડુત હાટ ભરે છે.કાપડની થેલી સાથે લઈને આવવુ.






Latest News