મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે જમવાના પૈસાની લેતી દેતી બાબતે યુવાનની હત્યા કરનાર તેના બે મિત્રો સામે ગુનો નોંધાયો


SHARE









મોરબીના રફાળેશ્વર પાસે જમવાના પૈસાની લેતી દેતી બાબતે યુવાનની હત્યા કરનાર તેના બે મિત્રો સામે ગુનો નોંધાયો

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે આવેલ કૈલાશ નળીયાના ગ્રાઉન્ડમાં મિત્રો વચ્ચે જમવાના પૈસાની લેતી લેતી બાબતે માથાકૂટ થઈ હતી ત્યારે બે મિત્રોએ યુવાને નળિયા અને ટાઇલ્સના કટકા વડે પેટના ભાગે માર મારીને ગંભીર ઈજા કરી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબી અને ત્યાંથી રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના માતાએ બે શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં હત્યા, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી નજીકના રફાળેશ્વર ગામે આવેલ આંબેડકરનગરમાં રહેતા દયાબેન જગદીશભાઈ ચૌહાણ (55) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગોપાલભાઈ રણછોડભાઈ ઝાપડા અને પ્રદીપભાઈ કોળી નામના બે શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે મોરબીના રફાળેશ્વર ગામે આવેલ કૈલાશ નળીયાના ગ્રાઉન્ડમાં ફરિયાદીના દીકરા ભરતભાઈ ઉર્ફે જેડીને તેના જુના મિત્રો ગોપાલભાઈ અને પ્રદીપભાઈ સાથે જમવાના પૈસાની લેતી દેતી બાબતે માથાકૂટ થઈ હતી ત્યારે ગોપાલભાઈએ નળિયા વડે ભરતભાઈને ખભાના ભાગે તથા પ્રદીપભાઈએ ટાઇલ્સના કટકા વડે તેને પેટના ભાગે માર માર્યો હતો જેથી કરીને ભરતભાઈને ગંભીર થઈ હોય તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો ક સારવાર કારગત ન નીવડતા ભરતભાઈનું મોત નીપજ્યું હતુ અને બનાવ હત્યામાં પલટાયો હતો જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News