મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે જમવાના પૈસાની લેતી દેતી બાબતે યુવાનની હત્યા કરનાર તેના બે મિત્રો સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીના રફાળેશ્વર પાસે જમવાના પૈસાની લેતી દેતી બાબતે યુવાનની હત્યા કરનાર તેના બે મિત્રો સામે ગુનો નોંધાયો

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે આવેલ કૈલાશ નળીયાના ગ્રાઉન્ડમાં મિત્રો વચ્ચે જમવાના પૈસાની લેતી લેતી બાબતે માથાકૂટ થઈ હતી ત્યારે બે મિત્રોએ યુવાને નળિયા અને ટાઇલ્સના કટકા વડે પેટના ભાગે માર મારીને ગંભીર ઈજા કરી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબી અને ત્યાંથી રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના માતાએ બે શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં હત્યા, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી નજીકના રફાળેશ્વર ગામે આવેલ આંબેડકરનગરમાં રહેતા દયાબેન જગદીશભાઈ ચૌહાણ (55) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગોપાલભાઈ રણછોડભાઈ ઝાપડા અને પ્રદીપભાઈ કોળી નામના બે શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે મોરબીના રફાળેશ્વર ગામે આવેલ કૈલાશ નળીયાના ગ્રાઉન્ડમાં ફરિયાદીના દીકરા ભરતભાઈ ઉર્ફે જેડીને તેના જુના મિત્રો ગોપાલભાઈ અને પ્રદીપભાઈ સાથે જમવાના પૈસાની લેતી દેતી બાબતે માથાકૂટ થઈ હતી ત્યારે ગોપાલભાઈએ નળિયા વડે ભરતભાઈને ખભાના ભાગે તથા પ્રદીપભાઈએ ટાઇલ્સના કટકા વડે તેને પેટના ભાગે માર માર્યો હતો જેથી કરીને ભરતભાઈને ગંભીર થઈ હોય તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો ક સારવાર કારગત ન નીવડતા ભરતભાઈનું મોત નીપજ્યું હતુ અને બનાવ હત્યામાં પલટાયો હતો જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News