મોરબી તાલુકામાંથી ટ્રેક્ટરની ચોરી કરનાર શખ્સ ચોરાઉ ટ્રેકટર સાથે પકડાયો
જો આરોગ્ય મંત્રી હપ્તા ન લેતા હોય તો મોરબી સહિત ગુજરાતમાં આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ સ્ટાફને પૂરતો પગાર આપો: ઈશુદાન ગઢવી
SHARE








જો આરોગ્ય મંત્રી હપ્તા ન લેતા હોય તો મોરબી સહિત ગુજરાતમાં આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ સ્ટાફને પૂરતો પગાર આપો: ઈશુદાન ગઢવી
મોરબી સિવિલમાં કામ કરતા આઉટસોર્સિંગ સ્ટાફને તેના હક્ક મળતા નથી અને પૂરતો પગાર મળતો નથી જેથી કરીને ગઇકાલે મોડી રાતે આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી મોરબી સિવિલ હોસ્પિટલે આવ્યા હતા અને ત્યાં આઉટસોર્સિંગ સ્ટાફને મળ્યા હતા અને ત્યાર બાદ તેમણે એવું કહ્યું હતુ કે આ આઉટસોર્સિંગ સ્ટાફને શું લાભ મળવા જોઈએ, શું પગાર મળવો જોઈએ તેની તે લોકોને ખબર જ નથી અને એજન્સી વાળા સરકારમાંથી વધુ પગાર લેતા હોવા છતાં પણ પગાર આપતા નથી જેથી કરીને રાજ્યના આરોગ્ય મંત્રી જો હપ્તા ન લેતા હોય તો મોરબી સહિત ગુજરાતનાં આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ સ્ટાફને પૂરતો પગાર આપવો જોઈએ નહીં તો આ મુદે આગામી સમયમાં એક લાખ લોકોને ભેગા કરીને ગાંધીનગરમાં ઘેરાવ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારો છે.
મોરબી સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગના સફાઈ કામદારો તેમજ સિક્યુરિટી સહિતના અંદાજે 150 જેટલા આઉટસોર્સિંગ સ્ટાફને પૂરતો પગાર આપવામાં આવતો નથી, પગાર સ્લીપ આપવામાં આવતી નથી, પીએફનો લાભ આપવામાં આવતો નથી, હક્ક રજા મળતી નથી તેમજ 12 કલાક તેઓની પાસેથી કામ લેવામાં આવી રહ્યું છે. જેથી કરીને આ હંગામી સ્ટાફ દ્વારા સિવિલના પટાંગણમાં હોસ્પિટલ બહાર ધરણા શરૂ કરવામાં આવેલ છે અને ગઇકાલે મોડી રાતે આમ આદમી પાર્ટીના આગેવાન ઈશુદાન ગઢવી મોરબી આવ્યા હતા અને મોરબી સિવિલે લઈને તેઓ આઉટસોર્સિંગથી સિવિલમાં કામ કરતાં સ્ટાફને મળવા માટે ગયા હતા.
આ હંગામી કર્મચારીઓની મુલાકાત લીધા બાદ ઈશુદાન ગઢવીએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે, મોરબી સહિત રાજ્યભરમાં આઉટસોર્સિંગ એજન્સીઓની અધિકારીઓ અને ભાજપના નેતાઓ સાથેની મિલીભગત છે અને હપ્તા આપે છે ત્યારે જો રાજ્યના આરોગ્ય મંત્રી હપ્તા ન લેતા હોય તો તેઓએ આ આઉટસોર્સિંગ સ્ટાફને પૂરતો પગાર અને તેઓને મળવા પાત્ર તમામ લાભ આપવામાં આવે તેવી માંગ કરી છે અને આ પ્રશ્ન સમગ્ર ગુજરાતમાં છે જેથી કરીને આગામી દિવસોમાં ગુજરાતનાં તમામ જીલ્લામાં આમ આદમી પાર્ટી આઉટસોર્સિંગ સ્ટાફને તેનો હક્ક મળે તેના માટે લડત ચલાવશે અને ત્યાર બાદ આઉટસોર્સિંગ સ્ટાફનું સંગઠન બનાવીને એક લાખ જેટલા કર્મચારીઓને સાથે રાખીને ગાંધીનગરનો ઘેરાવ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

