મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબી મનપાની હદમાં વાડી વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીની લાઈન માટેની કામગીરી પ્રગતિ હેઠળ


SHARE









મોરબી મનપાની હદમાં વાડી વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીની લાઈન માટેની કામગીરી પ્રગતિ હેઠળ

મોરબી મનપા વિસ્તારમાં નાગરિકોની સુવિધામાં વધારો કરવાના હેતુથી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ (UGD) નેટવર્ક અને 'નલ સે જલ' પ્રોજેક્ટ અંતર્ગત મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટથી ૧૧૫ જુદી જુદી વાડી વિસ્તારોને મોટો લાભ મળવા જઈ રહ્યો છે.

મોરબી શહેરના બાકી રહી ગયેલા વાડી વિસ્તાર માટે અંદાજે ૨૬,૬૦૪ વસ્તીને મળશે ગટર અને પાણીની સુવિધા જેમાં ભૂગર્ભની લાઈન માટે ૧૭.૬૭ કરોડ અને પાણીની લાઈન માટે ૯.૫૯ કરોડના ખર્ચે પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ દ્વારા શહેરના વિવિધ ઝોનની હજારોની વસ્તીને સીધો લાભ મળશે. અને ભવિષ્યની વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલ આ ભૂગર્ભ નેટવર્કથી ગંદા પાણીના નિકાલની સમસ્યા કાયમી ધોરણે હલ થશે. અને જે વાડી વિસ્તારોનો સમાવેશ આ યોજનામાં કર્યો છે તેમા મસાલ વાડી, ચાવડા વાડી, ભુચર વાડી, જયપુરીયા વાડી અને વેગણી વાડી વગેરે જેવી જુદી જુદી ૧૧૫ વાડી વિસ્તાર આવે છે. આ પ્રોજેક્ટમાં જુદી જુદી વ્યાસ ધરાવતી પાણીની પાઈપલાઈન નાખવામાં આવેલ છે. જેમાં પીવાના પાણીની લાઈન માટે ૫૧ કિલોમીટર જેટલી ડીઆઇ પાણીની લાઈન નાખવામાં આવેલ છે.

આ યોજના અંતર્ગત કપુરીની વાડીમાં ભુગર્ભ પપીંગ સ્ટેશન બનાવવાની કામગીરી પુર્ણ થઇ ગયેલ છે. જેથી સદર વિસ્તારમાં ભૂગર્ભના હાઉસ કનેક્શન (જોડાણ) આપી નાગરીકો લાભ લઇ શકે તેમ છે. અને ભૂગર્ભના હાઉસ કનેક્શન (જોડાણ) માટેની પ્રક્રિયા મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે નાગરિકોએ પોતાના ઘર કે વ્યવસાયિક એકમ માટે નવું ગટર જોડાણ મેળવવું હોય, તેમણે મનપાની કચેરી ખાતેથી જરૂરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. કચેરી દ્વારા નિયત કરાયેલ ફોર્મ ભરી અને પ્રક્રિયા પુર્ણ કર્યા બાદ જ અધિકૃત હાઉસ કનેક્શન મેળવી શકાશે.'નલ સે જલ' પ્રોજેક્ટ - આ પ્રોજેક્ટ હેઠળ દરેક ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં આવશે. વાડી વિસ્તારોમાં રહેતા પરિવારોને હવે દુર સુધી પાણી લેવા જવું નહીં પડે અને ઘરે બેઠા જ શુદ્ધ પાણી મળી રહેશે.






Latest News