મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના ગોર ખીજડીયા ગામ પાસથી મળી આવેલ મૃતક યુવાનની ઓળખ મળી


SHARE













મોરબીના ગોર ખીજડીયા ગામ પાસથી મળી આવેલ મૃતક યુવાનની ઓળખ મળી

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ગોર ખીજડીયા ગામના તળાવ પાસે અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી ગામના લોકોએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની જાણ કરતા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને મૃતક યુવાન મોરબીના વીરપરડા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી નજીકના ગોર ખીજડીયા ગામે આવેલ તળાવ પાસેથી શનિવારે કોઈ અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી ગામના લોકોએ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી ત્યાર બાદ તાત્કાલિક તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ ઉપરથી મૃતક વ્યક્તિના મૃતદેહ પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે તાલુકા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને મૃતક યુવાન મોરબી તાલુકાના વીરપરડા ગામનો મુસાભાઇ આહમદભાઈ સુમરા (35) વાળો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ અંગેની વનાળીયા ગામે રહેતા ઈમ્તિયાઝભાઈ ઓસમાણભાઈ સુમરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News