હળવદના રણજીતગઢ ગામ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત
મોરબીના ગોર ખીજડીયા ગામ પાસથી મળી આવેલ મૃતક યુવાનની ઓળખ મળી
SHARE
મોરબીના ગોર ખીજડીયા ગામ પાસથી મળી આવેલ મૃતક યુવાનની ઓળખ મળી
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ગોર ખીજડીયા ગામના તળાવ પાસે અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી ગામના લોકોએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની જાણ કરતા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને મૃતક યુવાન મોરબીના વીરપરડા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી નજીકના ગોર ખીજડીયા ગામે આવેલ તળાવ પાસેથી શનિવારે કોઈ અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી ગામના લોકોએ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી ત્યાર બાદ તાત્કાલિક તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ ઉપરથી મૃતક વ્યક્તિના મૃતદેહ પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે તાલુકા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને મૃતક યુવાન મોરબી તાલુકાના વીરપરડા ગામનો મુસાભાઇ આહમદભાઈ સુમરા (35) વાળો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ અંગેની વનાળીયા ગામે રહેતા ઈમ્તિયાઝભાઈ ઓસમાણભાઈ સુમરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે