ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ
Breaking news
Morbi Today

વાંકાનેરના ગાત્રાળનગરમાં એસીડ પી જનાર યુવકનું સારવારમાં મોત


SHARE













વાંકાનેરના ગાત્રાળનગરમાં એસીડ પી જનાર યુવકનું સારવારમાં મોત

વાંકાનેરના ગાત્રાળનગરમાં એસીડ પી જનાર યુવકનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં મોત નીપજ્યું હતું. મનીષભાઈ ભરતભાઈ ચાવડા (ઉંમર વર્ષ 30, રહે. ગાત્રાળનગર ગામ, તાલુકો વાંકાનેર) ગઈકાલે બપોરે 1 વાગ્યાં આસપાસ પોતે પોતાના ગામમાં હતો ત્યારે એસીડ પી જતા પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

અહીં ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે સાંજે 7:30 વાગ્યાં આસપાસ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. પરિવારજનોએ જણાવ્યું કે મૃતક મનીષ 4 ભાઈ 2 બહેનમાં મોટો હતો. તેને સંતાનમાં 2 પુત્ર છે. તે સેન્ટીંગ કડિયા કામની મજૂરી કરતો હતો. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.બીજા બનાવમાં નરશીભાઈ કાનાભાઈ મજેવડીયા (ઉંમર વર્ષ 65, રહે. ભાલકા ગામ, તાલુકો વેરાવળ, જીલ્લો ગીર સોમનાથ) ગઈ તા.27/9 ના રોજ બપોરે 2 વાગ્યા આસપાસ પોતે પોતાના ઘરે હતા ત્યારે ઝેરી દવા પી જતા પ્રથમ લાઈફ લાઈન હોસ્પિટલ વેરાવળ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં લાવતા દાખલ કરાયા હતા. જેનું ચાલુ સારવાર દરમિયાન ગત મોડી રાત્રે મૃત્યુ નીપજ્યું હતું






Latest News